Entertainment

'જ્યારે કોઇ પૂછે તો કહેજો...' પહલગામ હુમલા-દિલ્હી બ્લાસ્ટ અંગે શાહરુખ ખાનનું રિએક્શન

By GS TEAM
23 Nov 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડના 'કિંગ ખાન' શાહરુખ ખાને મુંબઈમાં આયોજિત 'ગ્લોબલ પીસ ઓનર્સ 2025' ઈવેન્ટમાં હાજરી આપી, જ્યાં તેમણે એક અત્યંત ભાવનાત્મક અને દેશભક્તિથી ભરપૂર ભાષણ આપ્યું. પોતાની સ્પીચમાં, શાહરુખ ખાને ભારતીય સૈનિકોના સાહસ અને બહાદુરીનો ઉલ્લેખ કરતા 26/11ના આતંકવાદી હુમલા, પહલગામ હુમલા અને તાજેતરમાં થયેલા દિલ્હી બોમ્બ ધડાકાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'જ્યારે કોઇ પૂછે તો કહેજો...' પહલગામ હુમલા-દિલ્હી બ્લાસ્ટ અંગે શાહરુખ ખાનનું રિએક્શન

Shahrukh Khan on Delhi Blast : બોલિવૂડના 'કિંગ ખાન' શાહરુખ ખાને મુંબઈમાં આયોજિત 'ગ્લોબલ પીસ ઓનર્સ 2025' ઈવેન્ટમાં હાજરી આપી, જ્યાં તેમણે એક અત્યંત ભાવનાત્મક અને દેશભક્તિથી ભરપૂર ભાષણ આપ્યું. પોતાની સ્પીચમાં, શાહરુખ ખાને ભારતીય સૈનિકોના સાહસ અને બહાદુરીનો ઉલ્લેખ કરતા 26/11ના આતંકવાદી હુમલા, પહલગામ હુમલા અને તાજેતરમાં થયેલા દિલ્હી બોમ્બ ધડાકાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી.

શહીદો અને પીડિતોને શ્રદ્ધાંજલિ 

શાહરુખ ખાને પોતાની સ્પીચની શરૂઆત કરતાં કહ્યું, "26/11ના આતંકવાદી હુમલા, પહલગામ આતંકવાદી હુમલા અને તાજેતરમાં થયેલા દિલ્હી બોમ્બ ધડાકામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અને આ હુમલાઓમાં શહીદ થયેલા આપણા બહાદુર સુરક્ષાકર્મીઓને મારા સાદર નમન."

સૈનિકો માટે શાહરુખનો સશક્ત સંદેશ

કિંગ ખાને દેશના બહાદુર સૈનિકો અને જવાનોને સમર્પિત ચાર ખૂબ જ સુંદર અને શક્તિશાળી પંક્તિઓ સંભળાવી, જેણે સૌના દિલ જીતી લીધા. તેમણે કહ્યું: "જ્યારે કોઈ આપણને પૂછે કે તમે શું કરો છો, તો ગર્વથી કહો કે, 'હું દેશની રક્ષા કરું છું.'"  "જો કોઈ પૂછે કે તમે કેટલું કમાઓ છો, તો થોડું હસીને કહો, 'હું 140 કરોડ લોકોના આશીર્વાદ કમાઉં છું.'" "અને જો તેઓ પાછા ફરીને પૂછે, 'શું તમને ક્યારેય ડર નથી લાગતો?', તો તેમની આંખોમાં જોઈને કહો, 'જેઓ અમારા પર હુમલો કરે છે, ડર તેમને લાગે છે...'"

શાંતિ અને એકતા માટે અપીલ 

શાહરુખ ખાને પોતાની સ્પીચના અંતમાં શાંતિ અને માનવતાનો સંદેશ આપતા કહ્યું, "ચાલો આપણે સૌ સાથે મળીને શાંતિ તરફ એક પગલું ભરીએ. ચાલો આપણે આસપાસના જાતિ, પંથ અને ભેદભાવને ભૂલી જઈએ અને માનવતાના માર્ગ પર ચાલીએ, જેથી આપણા દેશની શાંતિ માટે આપણા નાયકોની શહાદત વ્યર્થ ન જાય. જો આપણી વચ્ચે શાંતિ છે, તો ભારતને કોઈ હલાવી શકશે નહીં."

હવે કિંગ ફિલ્મમાં જોવા મળશે 

ફિલ્મ કરિયર વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શાહરુખ ખાન છેલ્લે 2023માં આવેલી 'પઠાણ', 'જવાન' અને 'ડંકી' જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યા હતા. હવે તેઓ 2026માં સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે, જેમાં તેમની પુત્રી સુહાના ખાન પણ ડેબ્યૂ કરી રહી છે.