Entertainment

લગ્ન વિશેના સમાચાર મીડિયામાં આવતા જ જાણીતા અભિનેતાની પત્ની રડી પડી હતી, જાણો કેમ?

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
90ના દાયકાના પ્રખ્યાત ટીવી શૉ 'કહી તો હોગા'માં આમના શરીફ સાથે સુજલનું પાત્ર ભજવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેતા રાજીવ ખંડેલવારે તાજેતરમાં જ પોતાની પત્ની અંજરી કામટીકર સાથેની તેની લવસ્ટોરી વિશે ખુલાસો કર્યો છે. તેણે ખુલાસો કર્યો કે, કેવી રીતે સમાચારમાં અમારા લગ્નની વાત કરાઈ હતી જેનાથી મંજરી રડી પડી હતી. કારણ કે તેના માતા-પિતાને ખ્યાલ નહોતો કે તે કોઈ અભિનેતા સાથે રિલેશનશિપમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લગ્ન વિશેના સમાચાર મીડિયામાં આવતા જ જાણીતા અભિનેતાની પત્ની રડી પડી હતી, જાણો કેમ?

Rajeev Khandelwal: 90ના દાયકાના પ્રખ્યાત ટીવી શૉ 'કહી તો હોગા'માં આમના શરીફ સાથે સુજલનું પાત્ર ભજવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેતા રાજીવ ખંડેલવારે તાજેતરમાં જ પોતાની પત્ની અંજરી કામટીકર સાથેની તેની લવસ્ટોરી વિશે ખુલાસો કર્યો છે. તેણે ખુલાસો કર્યો કે, કેવી રીતે સમાચારમાં અમારા લગ્નની વાત કરાઈ હતી જેનાથી મંજરી રડી પડી હતી. કારણ કે તેના માતા-પિતાને ખ્યાલ નહોતો કે તે કોઈ અભિનેતા સાથે રિલેશનશિપમાં છે. 

લગ્ન વિશેના સમાચાર મીડિયામાં આવતા પત્ની રડી પડી

એક ઈન્ટરવ્યૂમાં રાજીવે કહ્યું કે, 'જ્યારે હું સચ કા સામના (2009) કરી રહ્યો હતો ત્યારે મેં પહેલેથી જ કહ્યું હતું કે હું સિંગલ નથી. હું એવી વ્યક્તિને ડેટ કરી રહ્યો છું જે ઈન્ડસ્ટ્રીની નથી. પરંતુ મીડિયા તેના વિશે વધુ જાણવા માંગતુ હતું. તેમને ફેસબૂક પર તેનો ફોટો મળ્યો અને મને કહેવામાં આવ્યું કે સમાચાર બહાર આવવાના છે જ્યારે મારી પત્નીએ સાંભળ્યું કે, તેનો ફોટો અખબારોમાં પ્રકાશિત થશે ત્યારે તે રડવા લાગી, કારણ કે તેના માતા-પિતાને ખબર નહોતી કે તે કોઈ અભિનેતાને ડેટ કરી રહી છે.' 

આ પણ વાંચો: 'મારું બાળપણ-યુવાની ત્યાં વીત્યું...' અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાથી સાઉથનો ગુજરાતી અભિનેતા દુઃખી

મારા સસરાને મેસેજ કર્યો

રાજીવે કહ્યું, મેં આ સમાચાર જાહેર ન થાય તે માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. મેં સંપાદકને ફોન કરીને વિનંતી પણ કરી હતી કે, કૃપા કરીને સમજો, આ એક મધ્યમ વર્ગનો પરિવાર છે. જોકે, મારી વિનંતીને અવગણવામાં આવી અને સમાચાર ગમે તે પ્રકાશિત કરવામાં આવ્યા. પાછળથી મેં મારી પત્નીની ઈચ્છા વિરુદ્ધ ગુપ્ત રીતે મંજરીના તેનાનો ફોન નંબર મેળવ્યો અને વહેલી સવારે તેમને મેસેજ મોકલ્યો કે સમાચાર ફેલાય તે પહેલાં તમને જાણ કરું છું. 

મેં તેમને મેસેજ મોકલ્યો કે, સાહેબ, હું રાજીવ ખંડેલવાલ છું, તે થવાનું જ છે પણ આ મારો નંબર છે. જો તમને કોઈ સમસ્યા કે ચિંતા હોય તો કૃપા કરીને મને ફોન કરો. હું એટલો સાહસી બનવા માંગુ છું કે ઊભો રહીને રાહ ન જોઉં. 

રાજીવે કહ્યું કે, મને વિશ્વાસ હતો કે મંજરીના પિતા સમજી જશે કારણ કે મેં ભાગી જવાને બદલે જવાબદારી લેવાનું પસંદ કર્યું હતું અને આજે પણ મારા સસરાં આ મેસેજ મોકલવા બદલ મારો આભાર માને છે.