Entertainment

રાઘવ જુયાલ એબીસીડી થ્રીમાં રીપિટ થવાની સંભાવના

By GS TEAM
20 Dec 20251 min read
રાઘવ જુયાલ એબીસીડી થ્રીમાં રીપિટ થવાની સંભાવના

મુંબઇ : રાઘલ જુયાલ અને રેમો ડિસોઝા  'એબીસીડી  થ્રી'માં ફરી સાથે કામ કરે તેવી શક્યતા છે. 

રાઘવ અને રેમો બંને ડાન્સ આધારિત ભૂમિકા તથા કોમિક ટાઈમિંગમાં સમન્વય માટે જાણીતા છે. 

જોકે, મૂળ 'એબીસીબીડી' પછી રાઘવની કારકિર્દી જુદા પાટે ફંટાઈ ગઈ છે આથી તે 'એબીસીડી થ્રી'માં કઈ ભૂમિકા કરશે તે અંગે સવાલ છે. 

ખાસ કરીને 'ધી બેડ્સ ઓફ બોલિવુડ' સીરિઝની સફળતા પછી રાઘવની કેરિયર જુદા મુકામ પર છે. તેને હિંદી ઉપરાંત સાઉથમાં પણ   ફિલ્મો ઓફર થઈ રહી છે.