Get The App

'હેરા ફેરી 3'માં પરેશ રાવલનું કમબેક કન્ફર્મ, ખુદ કર્યો ખુલાસો, અક્ષય કુમાર સાથેના વિવાદનો આવ્યો અંત

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
'હેરા ફેરી 3'માં પરેશ રાવલનું કમબેક કન્ફર્મ, ખુદ કર્યો ખુલાસો, અક્ષય કુમાર સાથેના વિવાદનો આવ્યો અંત 1 - image
image Source: IANS

Paresh Rawal Returns To Hera Pheri 3: પરેશ રાવલ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી 3'માં વાપસી થઈ છે. પીઢ અભિનેતાએ પોતે ખુલાસો કર્યો છે કે તેઓ ફરી એકવાર ફિલ્મમાં બાબુ ભૈયાની ભૂમિકામાં જોવા મળશે. પરેશ રાવલે અક્ષય કુમાર સાથેના વિવાદ વિશે પણ વાત કરી છે અને કહ્યું છે કે તેમની વચ્ચે જે પણ વિવાદ હતો તે હવે ઉકેલાઈ ગયો છે.

બોલિવૂડ હંગામા સાથેના પોડકાસ્ટમાં પરેશ રાવલે પુષ્ટિ આપી છે કે તેઓ 'હેરા ફેરી 3' કરવા માટે સંમત થયા છે. અક્ષય કુમાર સાથેના ઝઘડા પર અભિનેતાએ કહ્યું- 'ખરેખર કોઈ વિવાદ નથી. જ્યારે કોઈ પ્રોજેક્ટ દર્શકોને વધારે પસંદ આવે છે, ત્યારે તમારે તેને વધુ કાળજીપૂર્વક હેન્ડલ કરવાની જરૂર છે.'

'હવે બધું બરાબર છે...'

પરેશ રાવલે વધુમાં કહ્યું, 'જનતાએ અમને પ્રેમ આપ્યો છે અને તેની સાથે જવાબદારી પણ આવે છે. આપણે તેને ક્યારેય હળવાશથી ન લેવું જોઈએ. અમે તેના માટે પોતાનું બેસ્ટ કામ કરવા માટે ઋણી છીએ. મને લાગ્યું કે સૌએ એકસાથે આવવું જોઈએ અને પોતાનું શ્રેષ્ઠ આપવું જોઈએ. તે એકમાત્ર ચિંતા હતી. પરંતુ હવે બધું બરાબર છે. તે ઠીક થવાનું હતું. અમારે ફક્ત થોડી ફાઈન-ટ્યૂનિંગની જરૂર હતી. છેવટે, આમાં સામેલ બધા પ્રિયદર્શન, અક્ષય અને સુનીલ ક્રિએટિવ છે અને લાંબા સમયથી મિત્ર છે.'

પરેશ રાવલે પરત કરી હતી સાઇનિંગ અમાઉન્ટ

આ વર્ષે મે મહિનામાં પરેશ રાવલે 'હેરા ફેરી 3' માંથી બહાર નીકળવાની પુષ્ટિ કરી હતી. એવા પણ સમાચાર હતા કે અભિનેતાએ 15 ટકા વ્યાજ સાથે 11 લાખ રૂપિયાની સાઇનિંગ અમાઉન્ટ પણ પરત કરી દીધી છે. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીના અધિકારો ખરીદનારા અક્ષય કુમારે પણ તેમની સામે કરાર ભંગનો કેસ દાખલ કર્યો હતો. ચાહકોથી લઈને ઘણા સેલેબ્સ સુધી સૌએ પરેશ રાવલના 'હેરા ફેરી 3' માંથી બહાર થવા પર નિરાશા વ્યક્ત કરી હતી.

Tags :