દુનિયાનાં સાત મહાસાગરોમાં છે એેનાથી પણ વધુ ઊંડાણ ભારતીય સંગીતમાં છે
- ભારતીય સંગીત આધારિત ફિલ્મોગીતોની સફર ઘણી લાંબી
-સામવેદની ઋચાઓમાંથી પ્રગટેલા ભારતીય સંગીતનો દિવ્ય વારસો અઢી ત્રણ હજાર વર્ષ પુરાણો
અમદાવાદ, તા. 19 ફેબ્રુઆરી 2018, સોમવાર
દુનિયાનાં સાત મહાસાગરોમાં છે એેનાથી પણ વધુ ઊંડાણ ભારતીય સંગીતમાં છે. ભારતીય સંગીત આધારિત ફિલ્મોગીતોની સફર ઘણી લાંબી છે એ જાણતા પહેલા તેના વિશે થોડી પ્રસ્તાવના અત્રે ઉપસ્થિત છે.
સામવેદની ઋચાઓમાંથી પ્રગટેલા ભારતીય સંગીતનો દિવ્ય વારસો અઢી ત્રણ હજાર વર્ષ પુરાણો અને તેથી જ અત્યંત સમૃદ્ધ છે. પાશ્ચાત્ય સંગીતના ધુરંધર સંગીતજ્ઞા યહૂદી મેન્યુહીને કહેલું કે દુનિયાનાં સાત મહાસાગરોમાં છે એેનાથી પણ વધુ ઊંડાણ ભારતીય સંગીતમાં છે.
દેશના જુદા જુદા પ્રદેશો અને જુદી જુદી સંસ્કૃતિ વચ્ચે પાંગરેલા સંગીતમાં પણ તેથી જ પ્રાદેશિક ખૂબી-ખામીઓ વિકસિત થઇ હતી. ભારતીય સંગીતના સાત સૂરો અફાટ સમુદ્રને પોતામાં સમાવી લેવાની ક્ષમતા રાખે છે
ભારતીય રાગ-રાગીની અધારિત ફિલ્મ ગીતોની સંખ્યા હજારોમાં છે. અહીં આવાજ ગીતો અંગે ચર્ચા અને વિચારણા કરવી છે. દરરોજ રાગ- રાગિણી આધારિત ફિલ્મી ગીતો વીશે નવી નવી વાતો લઈને આવી રહ્યુ છે gujaratsamacahr.com સંગીત રશિયાઓ વાંચવાનું ચૂકશો નહી
(વધુ વાંચો)