Get The App

ઋષિ કપૂરને યાદ કરીને રડવા લાગ્યા રજા મુરાદ કહ્યુ, મે મારો મિત્ર ગુમાવ્યો

Updated: Apr 30th, 2020

GS TEAM

Google News
Google News
ઋષિ કપૂરને યાદ કરીને રડવા લાગ્યા રજા મુરાદ કહ્યુ, મે મારો મિત્ર ગુમાવ્યો 1 - image

મુંબઈ, તા. 30 એપ્રિલ 2020 ગુરૂવાર

બોલિવુડ અભિનેતા ઋષિ કપૂરનું આજે નિધન થયુ છે. 67 વર્ષના ઋષિ કેન્સરથી પીડિત હતા અને કાલે બુધવારે તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ઋષિ નિધનના સમાચાર સાંભળતા સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

ઋષિ કપૂરને યાદ કરીને રડવા લાગ્યા રજા મુરાદ કહ્યુ, મે મારો મિત્ર ગુમાવ્યો 2 - imageઅભિનેતા રજા મુરાદે કહ્યુ કે ઋષિ કપૂર માત્ર મારો સાથી નહોતો, તે મારો પરિવાર હતા. મારો મિત્ર હતો. મારો 45 વર્ષ જૂનો મિત્ર. લેલા મજનુમાં અમે સાથે કામ કરવાનું શરૂ કર્યુ. મે તેમની સાથે એટલી ફિલ્મો કરી. મને વિશ્વાસ થઈ રહ્યો નથી.

ઋષિ કપૂરને યાદ કરીને રડવા લાગ્યા રજા મુરાદ કહ્યુ, મે મારો મિત્ર ગુમાવ્યો 3 - imageઈરફાન ખાનના નિધનનો ઉલ્લેખ કરતા રજા મુરાદે કહ્યુ કે કાલે અમને ઈરફાન ખાનના સમાચાર મળ્યા હતા આજે ઋષિ કપૂરનું નિધન. હુ શુ કહુ તેમના વિશે. મારો ભાઈ ગયો. હંમેશા ફોન કરીને મારા ખબર-અંતર પૂછતા હતા.

Tags :