Get The App

અનુરાગ કશ્યપે જાણીતી અભિનેત્રીને મનપસંદ 'નેપો કિડ' ગણાવી, કહ્યું - તે પરિપક્વ થઇ છે

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
અનુરાગ કશ્યપે જાણીતી અભિનેત્રીને મનપસંદ 'નેપો કિડ' ગણાવી, કહ્યું - તે પરિપક્વ થઇ છે 1 - image


Anurag Kashyap On Ananya Panday:  છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'નેપો કિડ્સ' એક ચર્ચાનો વિષય બની ગયો છે. જ્યારે કેટલાકે પોતાની પ્રતિભા સાબિત કરી છે અને ક્રિટિક્સની પ્રશંસા મેળવી છે ત્યારે કેટલાકને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં અનુરાગ કશ્યપે અનન્યા પાંડેને તેની મનપસંદ નેપો કિડનું બિરુદ આપ્યું છે અને ખુલાસો કર્યો કે, 'હું માનું છું કે તે ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે બદલાઈ ગઈ અને વિકસિત થઈ છે.'

અનુરાગ કશ્યપે અનન્યા પાંડે સહિત આ સ્ટારને પોતાના મનપસંદ નેપો કિડ ગણાવ્યા

જ્યારે અનુરાગને તેના મનપસંદ નેપો કિડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે રણબીર કપૂક, આલિયા ભટ્ટ, અનન્યા પાંડે અને અયાન મુખર્જીનું નામ આપ્યું. અનન્યાના કારકિર્દી ગ્રાફ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, 'મને લાગે છે કે તેણે તે સમજી લીધું છે. મને લાગે છે કે ઘણા સમય પહેલા એક ઈન્ટરવ્યૂમાં સિદ્ધાંત ચતુર્વેદીએ કહ્યું હતું કે, અમારા સંઘર્ષો ત્યાં જ સમાપ્ત થાય છે જ્યાં તમારો સંઘર્ષ શરૂ થાય છે. અને તેણે આ વાતને ખૂબ જ વ્યક્તિગત રીતે લીધી. તેની અંદર કંઈક બદલાયું કારણ કે તે પછી તે બદલાઈ ગઈ.'

આ પણ વાંચો: ચેલેન્જ પે ચેલેન્જ : કાંતિ અમૃતિયા સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા, રાજીનામું આપશે કે પછી સ્ટંટ?

તે પરિપક્વ થઇ છે 

અનુરાગ કશ્યપે કહ્યું કે, 'મેં તેને સીએનટીઆરએલ, ખો ગયે હમ કહાં, ગહરાઈયાંમાં જોઈ તેની અંદર બદલાવ હતો અને તેણે પોતાની જાતને શોધી. અથવા તે પોતાને શોધવાના માર્ગ પર છે. પરંતુ તે જે પણ છે, તે એક મહાન કામ કરી રહી છે. તે જોખમો લઈ રહી છે અને તે ખૂબ પરિપક્વ છે. તે પ્રયોગો કરે છે. તે અન્ય લોકોની જેમ કમ્ફર્ટ ગેમ રમી રહી નથી.'  તેણે આગળ સમજાવ્યું કે, હું શા માટે માનું છું કે નેપો કિડ ઘણીવાર નિષ્ફળ જાય છે. મને લાગે છે કે સમસ્યા બાળકો કરતાં માતા-પિતામાં વધુ છે, જેઓ તેમને પોતાની પસંદગીઓ કરવા દેતા નથી. રક્ષણ ખાતર, માતા-પિતાની સહજતા કામ કરે છે. હું મારા બાળકનું રક્ષણ કરીશ અને તેને સફળ કારકિર્દી આપીશ કારણ કે હું વધુ સારી રીતે જાણું છું તે જ સમસ્યા છે.

Tags :