Entertainment

માત્ર 17 દિવસમાં 3 ફેમસ એક્ટરનું નિધન, કઈ બીમારીના કારણે થયું મોત, જાણીલો રોગના લક્ષણ

By GS TEAM
28 Oct 20252 mins read
TukuTouch Logo
છેલ્લા 17 દિવસોમાં ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન જગતમાંથી થી અનેક દુ:ખદ સમાચાર આવ્યા છે. ત્રણ દિગ્ગજ કલાકારો, અસરાની, સતીશ શાહ અને પંકજ ધીર ગંભીર બીમારીઓ સામે લડ્યા પરંતુ આખરે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના અવસાનથી ઈન્ડસ્ટ્રીની સાથે સાથે દેશભરના ચાહકો દુઃખી થયા છે. ચાલો જાણીએ કે આ સ્ટાર્સની બીમારીઓ શું હતી અને તે કેટલી ગંભીર હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

માત્ર 17 દિવસમાં 3 ફેમસ એક્ટરનું નિધન, કઈ બીમારીના કારણે થયું મોત, જાણીલો રોગના લક્ષણ

Actors Death News: છેલ્લા 17 દિવસોમાં ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન જગતમાંથી થી અનેક દુ:ખદ સમાચાર આવ્યા છે. ત્રણ દિગ્ગજ કલાકારો, અસરાની, સતીશ શાહ અને પંકજ ધીર ગંભીર બીમારીઓ સામે લડ્યા પરંતુ આખરે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના અવસાનથી ઈન્ડસ્ટ્રીની સાથે સાથે દેશભરના ચાહકો દુઃખી થયા છે. ચાલો જાણીએ કે આ સ્ટાર્સની બીમારીઓ શું હતી અને તે કેટલી ગંભીર હતી.

અસરાની - ફેફસાના ગંભીર રોગ


20 ઓક્ટોબરના રોજ મશહૂર બોલિવૂડ અને ટીવી હાસ્ય કલાકાર અસરાનીનું અવસાન થયું. 83 વર્ષીય અસરાની ફેફસાના રોગ, પલ્મોનરી એડીમાથી પીડાતા હતા. આ સ્થિતિ ફેફસાના હવાના કોથળીઓ Air Sac (Alveoli) માં પ્રવાહી જમા થવાનું કારણ બને છે, જેના કારણે શરીરમાં ઓક્સિજનની કમી થઈ જાય છે. તેની અસર સીધી શ્વાસ લેવા પર થાય છે.

મુખ્ય કારણો: હાર્ટના પ્રોબલેમ, ફેફસાના ચેપ, પ્રદૂષણ અથવા વધુ પડતી દવાઓનો ઉપયોગ.

આ પણ વાંચો: 18 વર્ષ પછી સલમાન સાથે ગોવિંદાની જોડી જામશે! 'બેટલ ઓફ ગલવાન'નું શૂટિંગ શરૂ

લક્ષણો:

શ્વાસ લેવામાં તકલીફ 

સૂતી વખતે સતત શ્વાસ લેવામાં તકલીફ

ખાંસી અને થાક

હોઠ કે આંગળીઓ વાદળી થવી

સમયસર તબીબી સલાહ અને યોગ્ય સારવારથી આ રોગને નિયંત્રિત કરી શકાય છે.

સતીશ શાહ - કિડની ફેલ્યોરથી પીડાતા (સ્ટેજ 4)


25 ઓક્ટોબરના રોજ લોકપ્રિય ટીવી અને ફિલ્મ અભિનેતા સતીશ શાહનું મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ લાંબા સમયથી કિડની ફેલ્યોરથી પીડાતા હતા. ડોકટરોના કહેવા પ્રમાણે તેમની કિડની સ્ટેજ 4 પર પહોંચી ગઈ હતી, એટલે કે તેઓએ તેમનું લગભગ 80% કાર્ય ગુમાવી દીધું હતું.

કિડની ફેલ્યોર શું છે?

કિડની શરીરમાંથી ટોક્સિન અને વધારાનું પાણી દૂર કરવાનું કામ કરે છે. જ્યારે આ કાર્ય બંધ થઈ જાય છે, ત્યારે શરીરમાં હાનિકારક પદાર્થો જમા થવા લાગે છે, જે હૃદય રોગ, બ્લડ પ્રેશર અને એનિમિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. 

લક્ષણો:

પેશાબની માત્રામાં ફેરફાર

ચહેરા અને પગમાં સોજો

ભૂખ ન લાગવી અને થાક

શ્વાસ લેવામાં તકલીફ

કિડનીને સ્વસ્થ રાખવા માટે તમારે મીઠાનું સેવન મર્યાદિત કરવું જોઈએ અને પુષ્કળ પાણી પીવો. ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ.

પંકજ ધીર - કેન્સર સામે લાંબા સમય બાદ હારી ગયા


મહાભારતમાં કર્ણની ભૂમિકા માટે જાણીતા મશહૂર અભિનેતા પંકજ ધીરનું 15 ઓક્ટોબરના રોજ અવસાન થયું. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા.

કેન્સર કેટલું ખતરનાક છે?

કેન્સરમાં શરીરના કોષોનું અનિયંત્રિત રીતે વિકાસ થાય છે અને આસપાસના પેશીઓને નુકસાન થાય છે. જો સારવાર ન કરવામાં આવે તો, તે શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. WHO અનુસાર, કેન્સર દર વર્ષે વિશ્વભરમાં આશરે 1 કરોડ લોકોનો ભોગ લે છે.

આ પણ વાંચો: સતીશ શાહની પ્રાર્થના સભામાં સોનુ નિગમે ગાયું ગીત, સાથી કલાકારોએ પણ સૂરમાં સૂર મિલાવ્યા

નિવારણ:

તમાકુ અને દારૂનું સેવન ટાળો

નિયમિત કસરત

સ્વસ્થ આહાર

વહેલી તપાસ અને સમયસર સારવાર (કીમોથેરાપી, રેડિયેશન, સર્જરી)