કલ્પવૃક્ષ .

જીવનને ફક્ત અતીતના સંદર્ભમાં સમજાય છે
જીવન એ કોઈ સમસ્યા નથી કે જેને ઉકેલવી પડે, જીવન એક વાસ્તવિકતા છે, જેને અનુભવવાની હોય.
* * *
જીવનને ફક્ત અતીત તરફ નજર નાખીને જ સમજી શકાય છે, પરંતુ જીવનને ભવિષ્યની દિશામાં જીવવું પડે છે.
* * *
નિરાશાનું સૌથી સામાન્ય સ્વરૂપ છે, તમે જે છો તે ન હોવું.
* * *
સૌથી પીડાદાયક સ્થિતિ ભવિષ્યને યાદ કર્યા કરવું, ખાસ કરીને તે ભવિષ્યને જે તમને ક્યારેય નહીં મળે.
* * *
હું બધું સ્પષ્ટપણે જોઉં છું - બે જ શક્યતાઓ છે - કાં તો તમે આ કરો અથવા તે કરો. મારો પ્રામાણિક મત આ છે - તમે બેમાંથી કંઈ પણ કરશો, તમારે આખરે પસ્તાવું જ પડશે.
* * *
કંટાળો એ બધી બુરાઈનું મૂળ છે. કંટાળો એટલે પોતે હોઈએ તે બની રહેવાનો નિરાશાજનક ઇનકાર.
* * *
લોકો નિરાશાના એવા સ્તર પર સમાધાન કરી લે છે જેને તેઓ સહન કરી શકે છે. આ સ્થિતિને તેઓ સુખ કહે છે.
- સોરેન કિકેગાર્ડ
(ડેનિશ ફિલોસોફર.
જન્મઃ ૧૮૧૩,
મૃત્યુઃ ૧૮૪૧)








