Get The App

સંસ્કાર: જીવનનું આભૂષણ .

Updated: May 24th, 2023

GS TEAM

Google News
Google News
સંસ્કાર: જીવનનું આભૂષણ                           . 1 - image


- લંકાપતિ રાજા રાવણ વિદ્વાન બ્રાહ્મણ તથા પરમ શિવભક્ત હતો પરંતુ સંસ્કારમાં તે પછાત અને હીન વ્યવહાર અને વિચારનો હતો

મા નવ જીવનમાં સંસ્કારનું આગવું મહત્વ છે. સંસ્કારથી જીવન ઘડતર થાય છે. ભારતની સામાજિક તથા પારિવારિક પરંપરામાં સંસ્કારનું સ્થાન આગવું છે. માતાપિતાના સંસ્કાર બાળકોમાં ઉતરે છે. નાનપણથી જ બાળકમાં સુ-સંસ્કારનું ઘડતર કરવામાં આવે તો મોટા થતાં બાળકનાં જીવનમાં ઘણું પરિવર્તન જોવા મળે છે. માતા-પિતા ઉપરાંત મિત્રોની સંગત પણ સારી હોય તો સંસ્કારિતામાં ઉમેરો થાય છે. હીન સંગતથી બાળક સંસ્કારમાં નીચે ઉતરી જાય છે. આપણાં જીવન ઘડતરમાં ગુરૂનો ફાળો પણ મહામુલો છે. ગુરૂ જ્ઞાાન સાથે સંસ્કાર અને શીલ પણ શીખવે છે.

આપણાં સુપ્રસિધ્ધ સ્કંધ પુરાણના ખંડ ૧૮માં દર્શાવ્યું છે તે પ્રમાણે જન્મના જાયતે શુદ્ર :

સંસ્કારાત દ્વિજ ઉચ્યતે ા

જન્મથી કોઈ ભલે શુદ્ર કે વૈશ્ય જાતિના હોય પણ સંસ્કારથી તે બ્રાહ્મણ કહેવાય છે. મનુ કહે છે કમેણા દ્વિજ ઉચ્યતે ા કર્મથી પણ ઘણા બ્રાહ્મણ કહેવાય છે. અત્રિ સ્તુતિમાં કહ્યું છે. ''જન્મના બ્રાહ્મણો હોય: ાલ્લલ્લ એટલે કે સંસ્કારથી દ્વિજ કહેવાય છે.

આપણાં જીવનમાં જન્મનથી મૃત્યુ પર્યંત ૧૬ સંસ્કાર અગત્યના મનાય છે, જે આ પ્રમાણે છે.

ગર્ભાધાન, પુંસંવન, અનવલોભન, વિષ્ણુબલિ, સીમંતોનિયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, સૂર્યાવલોકન, અન્નપ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, ગાયગ્યુપદેશ,, સમાવર્તન, વિવાહ, સ્વર્ગારોહણ.

આજ બદલાતાં સમયનાં મુલ્યોમાં સારા વિચારો, સારા સંસ્કાર, સારું વાંચન ખુબ જ જરૂરી છે. સત્સંગ, ધ્યાન, યોગ કે હળવી કસરત પણ જીવનના ઉચ્ચ આદર્શો ઘડવામાં મદદ કરે છે. કહેવાય છે કે સુસંસ્કાર એ જીવનનું આભુષણ છે ચાણક્ય સૂત્રમાં કહ્યું છે કે 'ચાંદી પણ સોના સાથે રહીને સોનું બની જાય છે.લ્લ આપણે ત્યાં એક કહેવત પણ છે કે 'જેવો સંગ તેવો રંગલ્લ. આજની પેઢીમાં વિનય, વિવેક, મર્યાદા, શીલ, સત્ય બોલવું એ સારા સંસ્કારની નિશાની છે. વિનય અને વિવેક તો આભૂષણોમાંય પણ આભૂષણ છે.

લંકાપતિ રાજા રાવણ વિદ્વાન બ્રાહ્મણ તથા પરમ શિવભક્ત હતો પરંતુ સંસ્કારમાં તે પછાત અને હીન વ્યવહાર અને વિચારનો હતો. તેનામાં રાક્ષસી ગુણો વિશેષ ભરેલા હતા.

જીવનમાં સંસ્કાર હોય તો સત્કર્મ થઈ શકે છે. અસંસ્કારી પાયમાલી  નોતરે છે. અસંસ્કારી સદ્ભાવ તથા સદ્વિચાર અને સદ્વર્તન ધરાવે છે. સંસ્કારી વ્યસનથી દૂર રહે છે. નશો કરતા નથી, ખોટું બોલતા નથી કે ઈર્ષા કરતા નથી. સંસ્કારી લોકો કદી ચોરી કરતા નથી કે ખોટું પણ કરતા નથી.

જીવનમાં સંસ્કારને આધાર બનાવીને જીવતા લોકો સહનશીલ હોય છે, નીતિવાન હોય છે. આ પ્રકારના લોકો નિરાભીમાની હોય છે. આ ઉપરાંત તેઓ પરિશ્રમમાં માનવાવાળા સ્વાશ્રયી અને ઉચ્ચ વિચારો સાથે સાદું જીવન જીવતા જોવા મળે છે. સંસ્કારી સંકટનો સામનો કરી શકે છે.ધીરજ અને શ્રદ્ધાથી જીવનમાં આગળ વધે છે.

જન્મથી કોઈ શુદ્ધ હોતા નથી. પરંતુ શૂચિ સંવર્ધન તથા શિક્ષણથી તે દ્વિજ કે જ્ઞાાની કહેવાય છે. આમ, સંસ્કાર રૂપી સીડી ચઢનારનાં જીવનમાં ઉચ્ચ આદર્શો તથા ધ્યેય થકી ઉંચી ઉડાન ભરી શકાય છે. આવો, આપણે પણ આવનારી પેઢીમાં સંસ્કારોનું સીંચન કરવાની તક ઝડપી લઈએ.

- ભરત અંજારિયા

Tags :