સુરતના સાયન્સ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાયું
Updated: Oct 6th, 2022
- 55 પેઇન્ટિંગસ બનાવતા લાગ્યો સાડા ત્રણ વર્ષનો સમય
સુરત,તા.06 ઓક્ટોબર 2022,ગુરૂવાર
સુરતના સાયન્સ સેન્ટર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે આ તમામ પેઇન્ટિંગ્સ ગલ્ફ કન્ટ્રીના રહેવાસી અને મશહુર પેઇન્ટર અકબર સાહેબે બનાવી છે. તેમને આ 55 પેઇન્ટિંગ્સ બનાવતા સાડા ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો છે.
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ગયો. જેના અનુસંધાનમાં સાયન્સ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિવિધ પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં મૂકવામાં આવેલી 55 જેટલી પેઇન્ટિંગ્સ ગલ્ફ કન્ટ્રીના મશહૂર પેઈન્ટર અકબર સાહેબે બનાવી છે. જે નરેન્દ્ર મોદીના ખૂબ જ મોટા ચાહક અને પ્રશંસક છે.
પેઇન્ટિંગ્સ અંગે અકબર સાહેબે જણાવ્યું હતું કે હું છેલ્લા 30 વર્ષથી દુબઈ રહું છું અને આ તમામ પેઇન્ટિંગ મેં ત્યાં જ બનાવી છે આ પેઇન્ટિંગ મેં એટલા માટે બનાવી છે કે નરેન્દ્ર ભાઈ મોદીએ એક સ્ટ્રોંગ લીડર છે. તમામ પેઇન્ટિંગમાં તેમના દિલની અને 'મન કી બાત'ની વાતો દર્શાવતી પેઇન્ટિંગ છે.