Gujarat

દાહોદના કસ્બા જુના વણકરવાસમાં ગાયની કતલ કરનાર ત્રણ પૈકી એક શખ્સની ધરપકડ

By GS Team
25 Oct 20191 min read
This article was originally published on 25 Oct 2019
દાહોદના કસ્બા જુના વણકરવાસમાં  ગાયની કતલ કરનાર ત્રણ પૈકી એક શખ્સની ધરપકડ

દાહોદ તા.25 ઓક્ટાેબર 2019 શુક્રવાર

દાહોદ કસ્બા જુના વણકરવાસમાં પોલીસે ઓચિંતો છાપો મારી વેચાણ કરી આાૃર્થીક લાભ મેળવવાના ઈરાદાથી ગાયની કતલ કરનાર ત્રણ  શખ્સો પૈકી એકની ધરપકડ કરી રૂ.10 હજાર ની કિંમતની કતલ કરેલ ગાયની દફન વિધી કરી હતી. જ્યારે બાકીના બે  શખ્સો પોલીસનો છાપો જોઈ નાસી ગયા હતા.

 દાહોદ, કસ્બા જુના વણકરવાસમાં રહેતા શરીફભાઈ મોહંમદભાઈ કુરેશી, સબ્બીર શરીફભાઈ કુરેશી તથા રઈશભાઈ સત્તારભાઈ કુરેશી એમ ત્રણે  શખ્સ શરીફભાઈ મહંમદભાઈ કુરેશીના ઘરમાં ગાયની કતલ કરતા હોવાની દાહોદ  પોલીસને બાતમી મળતા દાહોદ ટાઉન પોલીસની ટીમે ગત રોજ બપોરે  શરીફભાઈ મહંમદભાઈ કુરેશીના ઘરમાં ઓચિંતો છાપો મારી રઈશભાઈ સતારભાઈ કુરેશીને ઝડપી પાડયો હતો. જ્યારે શરીફભાઈ કુરેશી તથા શબ્બીરભાઈ કુરેશી પોલીસને ચકમો આપી નાસી ગયા હતા. પોલીસે શરીફ કુરેશીના ઘરમાંથી રૂ. 10 હજાર ની કિંમતની એક ગાય કાપેલી હાલતમાં પકડી પાડી કબ્જે લઈ તેની દફનવિધી કરી હતી.

 આ સંબંધે દાહોદ ટાઉન પોલીસે દાહોદ કસ્બા, જુનાવણકરવાસમાં રહેતા શરીફ કુરેશી, સબ્બીર કુરેશી તથા રઈશ કુરેશી વિરૂધ્ધ ગુનો દાખલ કરી  કાર્યવાહી હાથ ધરી છે.