શીબાએ ઓચિંતી ફિલ્મો કેમ છોડી દીધી?
- હું દુબઈમાં મોડેલિંગ કરતી જ હતી કેમકે ત્યાં જ મારો જન્મ અને ઉછેર થયો હતો અને મોડેલિંગ તો મારો પાર્ટ-ટાઈમ જોબ હતો. સુનીલજીએ મને જોઈ અને મને સાઈન કરી લીધી. એ સમયે મને એવા વિચાર આવતા હતા કે હું ફિલ્મ પૂરી કરીને ફરી પાછી અભ્યાસ માટે જતી રહું
નેવુંના દાયકાના સલમાન ખાન, સુનીલ શેટ્ટી, સૈફ અલી ખાન જેવા મોટા સ્ટાર્સ સાથે તત્કાલિન અભિનેત્રી શીબા આકાશદીપની ફિલ્મી કારકિર્દીનો આવકારભર્યો પ્રારંભ થયો, પણ થોડા જ વર્ષોમાં એ અભિનેત્રીએ મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું અને નિર્માણ તથા ટેલિવિઝન ભણી રૂખ કરી.
૧૯૯૧માં સદ્ગત સુનીલ દત્તે તેને 'યે આગ કબ બુઝેગી' ફિલ્મ માટે સાઈન કરી ત્યારે શીબાની વય માત્ર ૧૬ વર્ષની જ હતી, 'એ સમયે તો, હું દુબઈમાં મોડેલિંગ કરતી જ હતી કેમકે ત્યાં જ મારો જન્મ અને ઉછેર થયો હતો અને મોડેલિંગ તો મારો પાર્ટ-ટાઈમ જોબ હતો. સુનીલજીએ મને જોઈ અને મને સાઈન કરી લીધી. એ સમયે મને એવા વિચાર આવતા હતા કે હું ફિલ્મ પૂરી કરીને ફરી પાછી અભ્યાસ માટે જતી રહું. સુનીલજીને પૂરેપૂરી ખાતરી હતી કે હું એવું કશું જ નહીં જ કરું,' એમ શીબાએ જણાવ્યું.
'મિ. બોન્ડ', 'સૂર્યવંશી' (બંને ફિલ્મો ૧૯૯૨માં રિલિઝ થઈ) અને 'હમ હૈ કમાલ કે' (૧૯૯૩)માં રિલિઝ થઈ. આવી ફિલ્મોની ધમાલ થઈ અને ફિલ્મો સફળ થઈ. આને સારા દિવસો તરીકે ઓળખવામાં આવે છે અને એ પછી તો 'જીવન સરળ અને સારું હતું. તે વ્યક્તિગત નેટવર્કિંગ અને સંબંધો પર આધારિત હતું. જો કે એ કામ માટે મારો અભિગમ સાવ કેઝ્યુઅલ-કામચલાવ હતો. હવે તો બધુ જ વ્યવસ્થિત છે. મારી આખી કારકિર્દીમાં મેં એકેયવાર ઓડિશન આપ્યું નથી, પણ હવે જ્યારે હું ફરીથી કામ કરવા માગું છું ત્યારે આ ઉંમરે મારે ફરી ઓડિશન આપવાની જરૂર છે,' એમ ૫૧ વર્ષીય અભિનેત્રી કહે છે.
જો કે તેણે શરૂઆતમાં ફિલ્મોમાં કામ શા માટે બંધ કર્યું, એવો પ્રશ્ન પૂછાયો ત્યારે તેણે જણાવ્યું કે 'તે સમયે મારામાં મારા વ્યવસાય અંગે સમજણનો અભાવ હતો. મારી પાસે ફિલ્મની પૃષ્ઠભૂમિ પણ નહોતી. તેથી હું શું કરી રહી છું તેની મને કશી કોઈ જાણકારી જ નહોતી. મારી આજુબાજુના લોકો મને જે કહેતા હતા એ અંગે હું આંખઆડા કાન કરતી હતી. મેં રેન્ડમલી બધી બાબતોની ના કહી દીધી, જેની મારે હા કહેવાની હતી. હું જે કામ કરતી હતી, તે માટે મારે થોડું હોમવર્ક કરવાની જરૂર હતી. મારામાં આ બાબતનો અભાવ હતો,' એમ એ કબૂલે છે.
આ સાથે જ તેની પાસે એવા રોમાંચક કામ આવવાનો પણ અભાવ હતો આથી શીબાએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. 'સૌભાગ્યલક્ષ્મી' અને 'હાંસિલ' જેવા ટીવી શોઝમાં ચમકેલા અભિનેતા- ફિલ્મસર્જક આકાશદીપ સાબિર સાથે લગ્ન કરી લીધા. આમ છતાં એ તમામની આભારી છે કે જેમની સાથે તેણે કામ કર્યું હતું. જો કે તેના નિકીના મિત્રોમાં કોઈ પણ અભિનેતા નથી. 'થોડા સમય પછી મેં જેમની સાથે કામ કર્યું હતું તેમની સાથે હળીમળીને રહેવાનું- મળવાનું બંધ કરી દીધું. હવે હું મારા પતિના મિત્રો સાથે સામાજિકરણ રાખું છું, જેમાં ગાયક સોનુ નિગમનો પણ સમાવેશ થાય છે. ભાગ્યશ્રી સાથે પણ મારી ગાઢ મિત્રતા છે,' એમ શીબાએ જણાવ્યું હતું.