રિતેશ દેશમુખે લગ્ન કર્યા પછી ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કરી નાખ્યું હતું, પણ એ સાચું નથી. રિતેશ તો અત્યારે બીજી મરાઠી ફિલ્મ 'રાજા શિવાજી' નું દિગ્દર્શન કરી રહ્યો છે. આટલું જ નહીં, આ વર્ષના પ્રારંભમાં એ ફરી ફિલ્મો ભણી પાછો ફર્યો 'હાઉસફૂલ-૫ ' ફ્રેન્ચાઈઝમાં જોડાયો. આ ફિલ્મ સફળ રહી તેનાં ઘણાં કારણો છે. આ ઉપરાંત રિતેશ 'મસ્તી-૪' અને 'ધમાલ-૪' ફ્રેન્ચાઈઝ સાથે પણ સંકળાયેલો છે. આવી ધમાકેદાર સફળ ફ્રેન્ચાઈઝ સાથે જોડાવા બદલ એ પોતાને નસીબદાર અભિનેતા માને છે.
રિતેશને લાગે છે કે કોઈ પણ કલાકાર જો એ કોઈ પણ ફ્રેન્ચાઈઝીનો ભાગ હોય તો ખુદને નસીબદાર સમજવી જોઈએ. અત્યારે હું ચાર ફિલ્મોમાં કામ કરી રહ્યો છું. દર્શકોની પ્રશંસા મળી છે એટલે જ અમે ભાગ-૪ અને ભાગ-પાંચ બનાવી શક્યા છીએ. જો કે રિતેશ દેશમુખ એવું દ્રઢપણે માને છે કે આનું શ્રેય માત્ર કલાકારોને જ જાય છે, એવું નથી. ફિલ્મની રિલીઝ પછી લોકો તેને ટેકો આપવા માટે બહાર આવે છે તે તમામ દર્શકો સૌથી વધારે આભારને પાત્ર છે.
૪૬વર્ષ આ અભિનેતા તેની બીજી મરાઠી ફિલ્મ 'રાજા શિવાજી'નું દિગ્દર્શન કરી રહ્યો છે. આ સંદર્ભે રિતેશ દેશમુખ કહે છે કે જ્યારે એક ફિલ્મની સિક્વલ બને એ પછી ત્રીજો અને ચોથો ભાગ આવતો રહે તો શક્ય છે કે દર્શકોને એ નવો અને તાજગીભર્યો ન લાગે, વાર્તા પુનરાવર્તિત થતી હોય તેવું લાગે. આવી સ્થિતિમાં દર્શકોનો રસ ઓછો થતો જાય એવું પણ શક્ય છે. બધુ પ્રેક્ષકો પર આધારિત છે.
વાત તો સાચી.


