Get The App

કલાકારોનાં લગ્નો અબી બોલા અભી ફોક

Updated: Jul 11th, 2024

GS TEAM


Google News
Google News
કલાકારોનાં લગ્નો અબી બોલા અભી ફોક 1 - image


મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં કલાકારોના પ્રેમ પ્રસંગ અને બ્રકઅપની ચર્ચા અવારનવાર થતી હોય છે. પ્રેમ સંબંધ પછી ઘણા પ્રેમી યુગલોએ લગ્નો પણ કર્યાં જે હજી સુધી ટકી રહ્યા છે. અલબત્ત, એવી પણ જોડીઓ છે, જેમણ ેપ્રેમ કર્યા પછી લગ્ન તો કર્યાં, પણ આ લગ્ન વરસ પણ ટક્યાં નહીં ને થોડા મહિનાઓમાં જ તેમણે છૂટાછેડા લઇ લેવા પડયા. 

સારા ખાન અને અલી મર્ચન્ટ

આ યાદીમાં સારા ખાન અને અલી મર્ચન્ટનું નામ સામેલ છે. ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી સારા ખાન અને અભિનેતા અલી મર્ચન્ટે રિયાલિટી શોમાં  સાથે સાત ફેરા ફર્યા હતા. જોકે આ લગ્ન ઝાઝું ટકી શક્યા નહીં. લગ્નના બે મહિના પછી જ તેમનાં લગ્ન તૂટી ગયાં હતાં અને  બન્ને અલગ થઇ ગયા હતાં. આ માટે સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે, તેમના વચ્ચે કોઇ પ્રેમ નહોતો. ફક્ત આ રિયાલિટી શો દ્વારા ચર્ચામાં રહેવા માટે જ તેમણે લગ્ન જેવા પવિત્ર સંબંધને રમતમાં ખપાવીને લગ્ન કર્યાં હતાં.  

કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમ

કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમે ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતાં. પરંતુ તેમના લગ્ન એક વરસની અંદર જ તૂટી ગયા હતા. તેમણે લગ્નના ૧૦ મહિનાની અંદર જ છુટાછેડા લઇ લીધા હતા. 

મંદાના કરીમી અને ગૌરવ ગુપ્તા

મંદાના કરીમીએ બિઝનેસમેન ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે ૨૫ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના થોડા જ મહિનાઓમાં મંદાનાએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો આરોપ લગાડયો હતો. ચર્ચા હતી કે, મંદાનાના સાસરિયાઓને તેની અભિનયની કારકિર્દી સ્વીકાર્ય નહોતી. પરિણામે લગ્ન પછી કાયમ કંકાસ થતો હતો અને આ લગ્ન છ મહિનામાં જ તૂટી ગયુ ંહતું.  

પુલકિત સમ્રાટ અને શ્વેતા રોહિરા

પુલકિત સમ્રાટ અને શ્વેતા રોહિરાના લગ્ન પણ ચર્ચામાં રહ્યાં હતાં. શ્વેતા રોહિતાને સલમાન ખાનની બહેન તરીકે માને છે. શ્વેતા અને પુલકિતના લગ્ન ૨૦૧૪માં થયાં હતાં. આ લગ્ન પણ ૧૧ મહિનામાં તૂટી ગયાં હતાં. કહેવાય છે કે, પુલકિત અને અભનેત્રી યામી ગૌતમ એકબીજાને બહુ નજીકઆવી ગયા હોવાથી રોહિતાના સંસારમાં આગ ચંપાઇ હતી અને અંતે લગ્ન તૂટી ગયાં. 

ચાહત ખન્ના અને ભરત સિંઘાની

ચાહત ખન્ના અને બિઝનેસમેન ભરત સિંઘાનીએ પાંચ વરસ સુધી ડેટ કરી હતી. તેમણે ૨૦૦૬માં લગ્ન  કર્યા હતા. ચાહતે લગ્ન પછી પોતાની અભિનયની કારકિર્દીને તિલાંજલી આપી દીધી હતી તેમ છતાં લગ્નના આઠ મહિના પછી તેમના સંસારમાં ક્લેશ આવી ગયો હતો. ચાહતે પતિ ભરત પર શારીરિક અને ઘરેલુ શોષણનો આરોપ મુકીને ફરિયાદ નોંધાવી હતી. આ પછી તેમના લગ્ન તૂટી ગયાં હતાં. 

Tags :