2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા કેટલો વિકાસદર જરૂરી? જાણો પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને શું કહ્યું
Raghuram Rajan on GDP: દેશના પૂર્વ RBI ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક ઈન્ટરવ્યુમાં વાત કરતા કહ્યું કે, 'હું ઘણાં સમયથી એ વિશે વાત કહેતો આવ્યો છું કે, જો ભારતને 2047 સુધી વિકસિત દેશ બનાવવો છે, તો આપણે 8, 8.5થી 9%ની વૃદ્ધિની જરૂર છે, કારણ કે આપણે હજુ પણ પ્રમાણે ગરીબ દેશ છીએ.'
રઘુરામ રાજને આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે ભારતે અશાંત વૈશ્વિક માહોલમાં મજબૂત જીડીપી આંકડા રજૂ કર્યા છે. નાણાંકીય વર્ષ 2025ની ચોથા ક્વાર્ટરમાં 7.4 ટકા અને આખા વર્ષમાં 6.5 ટકાની મજબૂત વૃદ્ધિ થઈ છે. જોકે, રાજને માન્યું કે, આ દર ખૂબ જ પ્રશંસનીય છે, ખાસ કરીને જ્યારે ચૂંટણીના કારણે સરકારી ખર્ચમાં મોડું થયું અને આંકડાકીય માહિતીમાં કામચલાઉ વધઘટ જોવા મળી હતી.
આ પણ વાંચોઃ ગૂગલને સર્ચ બિઝનેસ વેચવો પડશે? કોર્ટ કરશે કાર્યવાહી, નિષ્ણાતોએ કહ્યું ‘વેચી જ દેવો જોઈએ’
હવે આરામ કરવાનો સમય નથી
તેમણે ચેતવણી આપી હતી કે, 'હવે સંતુષ્ટ થઈને બેસવાનો સમય નથી, આ આરામ કરવાનો સમય નથી. ભારત માટે એક સારો સમય હોય શકે છે, આપણે તેનો લાભ લેવો જોઈએ. ઉચ્ચ વિકાસ દર જાળવી રાખવા માટે રોકાણને વધારવું, વપરાશનો વ્યાપ વધારવો અને સ્થાનિક અને વિદેશી રોકાણકારોને ભારતીય અર્થતંત્ર વિશે વિશ્વાસ અપાવવો જરૂરી છે.'
મંદીની સંભાવના
રઘુરામ રાજને વૈશ્વિક અનિશ્ચિતતાને ભારતની વૃદ્ધિની ગતિમાં અવરોધ ઊભું કરનારૂ એક મોટું કારણ જણાવ્યું. તેમણે વિશેષ રૂપે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી અને ટેરિફને લઈને વધતી અનિશ્ચિતતાને લઈને ચિંતા વ્યક્ત કરી. હજુ મંદી આવવાની સંભાવના છે. તેનાથી વ્યાપારિક માહોલ અસ્થિર થઈ શકે છે અને રોકાણકારોને નિર્ણય લેવામાં સંકોચ થઈ શકે છે.
જોકે, રઘુરામ રાજને અમુક સકારાત્મક સંકેત તરફ પણ ઈશારો કર્યો. જેમ આ વર્ષે અનુકૂળ ચોમાસાની સંભાવના અને ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં સુધારો થશે. આ ન ફક્ત આર્થિક દ્રષ્ટિથી બહેતર છે પરંતુ તેનાથી સામાજિક અસમાનતાથી ઓછું હોય છે.
આ પણ વાંચોઃ ખાદ્ય તેલની કિંમતો ઘટશે! કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, સામાન્ય જનતાને આપી ખુશખબરી
સામાન્ય નાગરિકની આવક જીડીપ રેન્કિંગથી વધુ મહત્ત્વપૂર્ણ
રાજને હાલમાં જ સામે આવેલા આ આંકડાને લઈને પણ ટિપ્પણી કરી જેમાં ભારતમાં અર્થવ્યવસ્થાને જલ્દી જ જર્મનીને પાછળ છોડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ એક ઉપલબ્ધિ છે, આપણને જરૂર ખુશી થવી જોઈએ કે, આપણે આગળ વધી રહ્યા છીએ. પરંતુ, એ ન ભૂલવું જોઈએ કે, આપણે સામાન્ય રૂપે હજુ પણ આ દેશોથી ખૂબ ગરીબ છીએ. જીડીપી રેન્કિંગથી વધુ મહત્ત્વનું છે સામાન્ય નાગરિકની આવક. સામાન્ય નાગરિક માટે જે મહત્ત્વ રાખે છે તે છે કે, તેઓ કેટલા અમીર છે, ન કે જીડીપી રેન્કિંગ. કારણ કે, આપણે દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ છીએ.
'ભારતનો સમય આવી ગયો'
રાજને એ વાત પર ભાર મૂક્યો કે, ભારતને હવે આગળ વધવા અને વ્યાપક સમૃદ્ધ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ન ફક્ત
ટોચની આર્થિક રેન્કિંગ હાંસલ કરવા પર. આપણે એ વિચારવાની જરૂર છે કે, આપણે આવનારા 5-10-15 વર્ષોમાં કેવી રીતે દેખાશું. આપણે આપણી વસતીને કુશળ બનાવવા માટે ખૂબ મહેનત કરવાની જરૂર છે, આપણે સેવામાં નવી નોકરી પેદા કરવા માટે ખૂબ મહેનત કરવાની જરૂર છે. સાથે જ નિકાસના નવા સ્ત્રોત બનાવવા માટે ખૂબ મહેનત કરવાની જરૂર છે. પરંતુ, તેના માટે નિરંતર નીતિગત કાર્યવાહીની જરૂર છે. તેમનું માનવું છે કે, 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય હાંસલ કરી શકે છે, પરંતુ તે સમયે વિકાસ સાથે જે તમામ વર્ગોને ઉપર લાવે છે.