Get The App

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ 1 - image


Today Gold and Silver Rate in MCX : છેલ્લા કેટલાક મહિનાઓથી સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયા બાદ રોકાણકારો દ્વારા પ્રોફિંટ બુકિંગમાં વધારો થયો છે, જેના કારણે આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ જોવા મળી છે. 

ચાંદીના ભાવમાં રૂ.19000ની ઉથલ-પાથલ

MCX પર ચાંદીના ભાવની વાત કરીએ તો, રાત્રે 8.00 કલાકે ચાંદીનો ભાવ રૂ.2,38,701 પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે ચાંદીનો ભાવ રૂ.2,68,850 પર બંધ થયો હતો, ત્યારે આજે ઊંચામાં ભાવ 2,58,096 અને નીચામાં રૂ.2,39,000 ભાવ નોંધાયો છે. એટલે કે આજે ચાંદીના ભાવમાં રૂ.19,096ની ઉથલ-પાથલ જોવા મલી છે.

સોનાના ભાવમાં રૂ.5745ની ઉથલ-પાથલ

MCX પર સોનાનો ભાવ રાત્રે 8.00 કલાકે રૂ.1,50,547 પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે સોનાનો ભાવ રૂ.1,53,046 પર બંધ થયો હતો, ત્યારે આજે ઊંચામાં ભાવ રૂ.1,54,200 અને નીચામાં ભાવ રૂ.1,48,455 નોંધાયો છે. એટલે કે આજે સોનાના ભાવમાં રૂ.5,745ની ઉથલ-પાથલ જોવા મળી છે.

આ પણ વાંચો : Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત

સોના-ચાંદીના ભાવ ઘટવાના કારણો

તાજેતરમાં જ સોના અને ચાંદીનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. ત્યારબાદ રોકાણકારોએ મોટા પ્રમાણમાં પ્રોફિટ બુકિંગ શરૂ કરતા તેમજ ફિજિકલ ડિમાન્ડ એટલે કે વાસ્તવિક રીતે સોના-ચાંદીની ખરીદી નબળી પડતા બંનેના ભાવમાં અસર જોવા મળી છે.

સોના-ચાંદી પર માર્જિન વધવા કિંમતો પર અસર

બીજીતરફ શિકાગો મર્કેટાઈલ એક્સચેન્જ (CME)એ કોપર બાદ સોના-ચાંદી પર માર્જિન વધારી દીધું છે, જેની અસર સોના-ચાંદીના ભાવ પર પડી છે. સીએમઈએ સોના પરનું માર્જિન 6 ટકાથી વધારી 8 ટકા અને ચાંદી પર 11 ટકાથી વધારી 15 ટકા કર્યું છે. માર્જિન વધવાના કારણે કિંમતો પણ દબાણ રહેવાની સંભાવના છે.

માર્જિન મની એટલે શું ?

કોમોડિટી માર્કેટમાં વાસ્તવિક રીતે સોના-ચાંદી ખરીદી કરવામાં આવતી નથી પણ તેનું ડિજીટલ રીતે ટ્રેડિંગ થાય છે. જ્યારે કોમોડિટી માર્કેટમાં મોટો સોદો થાય છે, ત્યારે રોકાણકારોએ તાત્કાલીક પૈસા દેવાના હોતા નથી, પરંતુ તેણે સિક્યોરિટી તરીકે કુલ કિંમતમાંથી કેટલીક રકમ જમા કરાવવી પડે છે, જેને માર્જિન કહેવામાં આવે છે. માર્જિન વધવાનો અર્થ એ છે કે, હવે ટ્રેડર્સે વધુ નાણાં લગાવવા પડશે. કેટલાક રોકાણકારો એવા હોય છે, જેમણે પહેલેથી ખરીદી કરી લીધી છે અને હવે માર્જિન વધવાના કારણે એક્સચેન્જ તેમની પાસેથી એકસ્ટ્રા નાણાં માંગે છે. જો રોકાણકાર પાસે ચૂકવવા માટે તાત્કાલીલ નાણાં હોતા નથી, ત્યારે તેણે પોતાનું સોનું અથવા ચાંદી વેચવું પડે છે. જ્યારે ઘણા લોકો એક સાથે વેચે છે, ત્યારે કિંમતો ઘટવા લાગે છે.

આ પણ વાંચો : Explainer: ભારત-અમેરિકા ડીલની આરપાર, જાણો ભારત કઈ ચીજો પર કેવી રીતે ઝીરો ટેરિફનો અમલ કરશે