Get The App

અંકલેશ્વરમાં પીયુસી કેન્દ્રો પર ભરૂચ આર ટી ઓનાં ચેકીંગથી ફફડાટ

-પીયુસી કેન્દ્ર દ્વારા વાહન ચાલકો પાસે નિયત ફી કરતા વધુ રૂપિયા લેવાતા હોવાની ફરિયાદો ઉઠી

Updated: Sep 16th, 2019

GS TEAM

Google News
Google News
અંકલેશ્વરમાં પીયુસી કેન્દ્રો પર ભરૂચ આર ટી ઓનાં ચેકીંગથી ફફડાટ 1 - image

અંક્લેશ્વર  તા.16 સપ્ટેમ્બર 2019 સાેમવાર

અંકલેશ્વરનાંવિવિધ માન્યતા ધરાવતા પીયુસી કેન્દ્રો ઉપર ભરૂચ જિલ્લા આર ટી ઓનાં અધિકારીઓએ ઓચિંતી ચેકિંગની કામગીરી હાથ ધરતા લોભિયા કેન્દ્ર ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઉપરાંત વાહન ચાલકોનેજરૃરી સૂચનાઓ આપી  નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લાનાંઆર ટી ઓ ઈન્સ્પેક્ટર  અને તેમની ટીમ દ્વારા અંકલેશ્વર ખાતેનાંકુલ છ જેટલા માન્યતા ધરાવતા પીયુસી કેન્દ્રો ખાતે ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યુ  હતુ . ભરુચ આર ટી ઓ વિભાગને ફરિયાદ મળી હતી ક ેઅંકલેશ્વરમાં પી યુ સી કેન્દ્રો પર નિયત કરેલા ભાવ કરતા વાહન ચાલકો પાસે વધુ નાણા વસુલવામાં આવે છે. જેના આધારે આર ટી ઓ ઈન્સ્પેક્ટરે ઓચિંતું ચેકીંગ હાથ ધયર્યુ હતુ. પરંતુ ચેકીંગ દરમ્યાન તેઓને કોઈ ગેરરીતિ મળી આવી ન હોતી.  અગાઉ પી યુ સી કેન્દ્રો પર ૫૦ થી ૧૦૦ રૃપિયા ટુ વ્હીલર ચાલકો પાસે વસુલવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.

આર ટી ઓ ઈન્સ્પેક્ટરે અંકલેશ્વરનાંકુલ છ જેટલા માન્ય પીયુસી કેન્દ્રોનાંસંચાલકોને તાકીદ કરી હતી કે તમામે કેન્દ્રો ઉપર પીયુસી માટેના માન્ય રાખેલ ચાર્જનું બોર્ડ ફરજિયાત મુકવા માટે સૂચના આપી હતી. આ દરમિયાન અંકલેશ્વરનાંવિવિધ પી યુ સી કેન્દ્રો ઉપર વાહન ચાલકોની લાંબી કતારો જોવા હતી.  

Tags :