Gujarat

અંકલેશ્વરની માનસી મોટર્સમાં રૂ .5.51 લાખની કર્મચારી દ્વારા ઉચાપત

By GS Team
19 Oct 20191 min read
This article was originally published on 19 Oct 2019
અંકલેશ્વરની માનસી મોટર્સમાં રૂ .5.51 લાખની કર્મચારી દ્વારા ઉચાપત

અંક્લેશ્વર તા.19 ઓક્ટાેબર 2019 શનિવાર

અંક્લેશ્વર માનસી મોટર્સનાં કર્મચારીએ આર ટી ઓમાં જમા કરવાનારા  રૂ.5.51 લાખ પોતાના અંગત  કામમાં વાપરી નાખી ઉચાપત કરતા મામલો પોલીસ મથકમાં નોંધાયો હતો.

અંકલેશ્વર  રાજકમલ આર્કેડ પાસે આવેલા માનસી મોટર્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ચિરાગ સુનિલભાઈ શાહ રહેવાશી સરદાર પાર્ક , જી આઇ ડી સી , અંકલેશ્વર  શહેર પોલીસ મથકમાં નોંધાવે હતી.ફરિયાદ મુજબ   માનસી મોટર્સમાં આર ટી ઓને લગતા કામ કરતા કર્મચારી જુબીલ મોતીભાઈ ઘડીયારહેવાશી પૂનમ સોસાયટી , જી આઇ ડી સી , અંકલેશ્વરનાં ઓ એ તા .1 -8 -2018  થી 21 - 12 - 18  દરમિયાન વાહનોનાં રજીસ્ટ્રેશન માટે આવતા રૃપિયા માનસી મોટર્સમાં જમા ન કરાવીને પોતાના અંગત કામમાં ખર્ચ કરી દીધા હતા.

જે  અંગેની જાણ માનસી મોટર્સમાં થતા જુબીન ઘડીયા એ કરેલી રૂ. 5.51  લાખની ઉચાપત અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.આ અંગે શહેર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી હતી.