Get The App

અંકલેશ્વર ગડખોલ પાટીયા પાસેનાં ઐયપ્પા મંદિરમાં ચોરી

Updated: Sep 29th, 2019

GS TEAM

Google News
Google News
અંકલેશ્વર ગડખોલ પાટીયા પાસેનાં ઐયપ્પા મંદિરમાં ચોરી 1 - image

અંક્લેશ્વર તા.29 સપ્ટેમ્બર 2019 રવીવાર

અંકલેશ્વર ગડખોલ પાટીયા નજીક આવેલ ઐયપ્પા મંદિરની ઓફિસમાથી રોકડા રૂપિયાની ચોરી થઇ હતી .બનાવ અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ  દાખલ કરી હતી.

 મળતી માહિતી મુજબ  તા. ૨૭મી ની રાત્રીના પોણા  નવ વાગે ઓફિસને તાળુ મારી મંદિરના ખજાનચી વેણગોપાલ તંગપ્પન નાયર પોતાના ઘરે જતા રહ્યા હતા. તે બાદ  તા.28 મીની વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ મંદિરના વોચમેનોએ મંદિરની ઓફિસના દરવાજાનો નકુચો તટેલો  હોવાની જાણ કરતા વેણગોપાલ તંગપ્પન નાયર મંદિરે દોડી આવ્યા હતા.

મંદિરની ઓફિસમાં તપાસ કરતા ઓફિસની તીજોરીની અંદરના લોકરમાં મુકેલ કાળા કલરના મોટા પાકિટમાં મંદિરનાં ધામક વિધનાં રાખેલ રોકડા રૂપિયા 18,280 ની ચોર ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું માલુમ પડતા આ અંગેની પોલીસ ફરિયાદ શહેર પોલીસ મથકમાં નોંધાવી હતી. 

Tags :