Get The App

1 ઓગસ્ટે શુક્રનો રાહુના નક્ષત્રમાં થશે પ્રવેશ, 3 રાશિના જાતકોને થશે આર્થિક ફાયદો!

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
1 ઓગસ્ટે શુક્રનો રાહુના નક્ષત્રમાં થશે પ્રવેશ, 3 રાશિના જાતકોને થશે આર્થિક ફાયદો! 1 - image


Shukra Gochar 2025 : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સમયાંતરે દરેક ગ્રહો પોતાની ગતિ બદલે છે અને તેની સાથે તેમના નક્ષત્રની ગતિમાં પણ ફેરફાર કરતાં રહે છે. તો ગ્રહોની આ નક્ષત્ર પરિવર્તનની સીધી અસર માનવ જીવનની સાથે સાથે દેશ દુનિયા પર પણ થાય છે. 

આ પણ વાંચો: આવતીકાલે શનિ-ગુરુની પાવરફૂલ યુતિ, 3 રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ!

પંચાંગમાં જણાવ્યા પ્રમાણે 1 ઓગસ્ટના રોજ સુખ સમૃદ્ધિના દેવતા શુક્ર આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આદ્રા નક્ષત્રના સ્વામી રાહુ માનવામાં આવે છે. જ્યોતિષીઓના કહેવા પ્રમાણે શુક્રનું આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓ માટે સારો સમય શરુ થશે અને આર્થિક લાભ પણ થશે.

મિથુન રાશિ 

શુક્રનું આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરવાથી મિથુન રાશિવાળાને વ્યવસાયમાં પ્રગતિ થશે અને રોકાયેલા કામમાં ગતિ મળશે. આ ઉપરાંત કોઈ સારા સમાચાર મળી શકે છે. તેમજ આવકમાં વધારો થઈ શકે છે. 

સિંહ રાશિ 

શુક્રનું નક્ષત્ર પરિવર્તન સિંહ રાશિવાળા માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. પારિવારિક જીવનમાં પ્રેમ વધશે. જીવનસાથીના સાથે સંબંધો મજબૂત થશે. રોકાણ ક્ષેત્રે તમને સારુ પરિણામ મળી શકે છે. સિંહ રાશિવાળાઓ માટે શેર બજારમાં રોકાણ કરવાથી તમને સારો લાભ મળી શકે છે. તેમજ આર્થિક સ્થિરતા આવશે. 

આ પણ વાંચો: ભારતના 5 ધાર્મિક મહત્ત્વ ધરાવતા નાગ મંદિર, અહીં દર્શનથી થાય છે કાલ સર્પદોષનું નિવારણ

તુલા રાશિ

શુક્રનું નક્ષત્ર પરિવર્તન તુલા રાશિના જાતકો માટે ખૂબ ખાસ માનવામાં આવી રહ્યું છે. કઠોર મહેનત કરનારાઓને સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. ભાગ્યનો પુરો સહકાર મળી શકે છે. નોકરી કરતાં લોકોને લાભ મળશે. કરિયરમાં પ્રગતિ થશે. 


Tags :