Get The App

વાસ્તુ ટિપ્સ : ઘરમાં આ વસ્તુઓ દક્ષિણ દિશામાં રાખશો તો આર્થિક તંગી થશે દૂર!

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
વાસ્તુ ટિપ્સ : ઘરમાં આ વસ્તુઓ દક્ષિણ દિશામાં રાખશો તો આર્થિક તંગી થશે દૂર! 1 - image


Vastu Tips: ઘણીવાર આપણે પોતાના ઘરને સજાવવાના ચક્કરમાં વસ્તુઓને પોતાની સુવિધા પ્રમાણે ગમે ત્યાં રાખી દઈએ છીએ. પરંતુ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરની દરેક દિશાનું પોતાનું એક વિશેષ મહત્ત્વ હોય છે. દરેક વસ્તુને તેની યોગ્ય દિશામાં રાખવાથી જ ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે.

દક્ષિણ દિશાનું મહત્ત્તવ

વાસ્તુ શાસ્ત્રમાં દક્ષિણ દિશાને યમરાજ અને પિતૃઓની દિશા માનવામાં આવી છે. આ દિશાને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે, તેથી અહીં કોઈ પણ વસ્તુ રાખતા પહેલા ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. જો આ દિશામાં વાસ્તુના નિયમો પ્રમાણે કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા ઓછી થાય છે અને આર્થિક તંગી દૂર થાય છે. તો ચાલો જાણીએ દક્ષિણ દિશામાં કઈ વસ્તુઓ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ધન લાભના યોગ બને છે. 

દક્ષિણ દિશામાં લગાવો કાચ

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે દક્ષિણ દિશામાં એક મોટો લગાવવો ફાયદાકારક હોય છે. તેનાથી નકારાત્મક ઊર્જા તેની સાથે ટકરાઈને પરત ફરે છે અને ઘરમાં સકારાત્મક માહોલ બને છે. 

આ પણ વાંચો: શિલોંગમાં હનીમૂનની જીદ, પછી કરાવી પતિની હત્યા, રાજા રઘુવંશી મર્ડર કેસમાં મોટો ખુલાસો

જેડ પ્લાન્ટ લગાવો

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દક્ષિણ દિશા શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે, જે એશ્વર્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ દિશામાં જેડ પ્લાન્ટ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ખાસ કરીને ડ્રોઈંગ રૂમની દક્ષિણ દિશામાં રાખો. તેનાથી માત્ર આર્થિક લાભ જ નહીં, પણ ઘરનો માહોલ પણ ખુશહાલ રહે છે. 

પૈસાની તિજોરી આ રીતે રાખો

પૈસાની તિજોરીને દક્ષિણ દિશામાં રાખવી પણ શુભ માનવામાં આવે છે, પરંતુ એક ખાસ નિયમનું પાલન કરવું જરૂરી છે. તિજોરી અથવા કબાટનો પાછળનો ભાગ દક્ષિણ તરફ હોવો જોઈએ અને તેનો આગળનો ભાગ ઉત્તર દિશા તરફ હોવો જોઈએ. તેનાથી ઘરમાં સંપત્તિની સ્થિરતા બની રહે છે અને પૈસાના આગમન માટે નવી તકો મળે છે. આ ઉપાયથી નાણાકીય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

Tags :