Get The App

15 જૂનથી સૂર્ય ગુરુની યુતિ, આ પાંચ રાશિઓને મળી શકે છે અચાનક ધનલાભ

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
15 જૂનથી સૂર્ય ગુરુની યુતિ, આ પાંચ રાશિઓને મળી શકે છે અચાનક ધનલાભ 1 - image


Surya- Guru Yuti : આગામી 15 જૂનથી સૂર્ય દેવ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યા પહેલેથી જ આ રાશિમાં ગુરુ બિરાજમાન છે. મિથુન રાશિમાં સૂર્ય- ગુરુની યુતિથી ગુરુ આદિત્ય રાજયોગનું નિર્માણ થશે. ગુરુ સુર્યનો મિત્ર ગ્રહ કહેવામાં આવે છે. 

જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ગુરુ આદિત્ય યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ યોગ વ્યક્તિના જીવનમાં જ્ઞાન, ધન, યશ, માન - સમ્માન અને સુખ - સમૃદ્ધિ લઈને આવે છે. સુર્ય ગુરુની યુતિથી કેટલીક રાશિઓને લાભ મળી શકે છે અને કેટલીક રાશિઓના જીવનમાં ખુશીઓ પણ આવશે. 

આ પણ વાંચો : બુધના ઉદયથી ત્રણ રાશિના લોકોનું ચમકશે ભાગ્ય, આજથી શરુ થશે સારા દિવસો

વૃષભ રાશિ

ગુરુ આદિત્ય યોગ વૃષભ રાશિના લોકોને શુભ પરિણામ આપશે. નાણાકીય બાબતોમાં પ્રગતિ થશે. નોકરી કરતાં લોકોના પગારમાં વધારો થવાની પણ શક્યતા છે. તમે નવું કાર્ય શરૂ કરી શકશો.

સિંહ રાશિ 

ગુરુ આદિત્ય યોગથી સિંહ રાશિના લોકો માટે પ્રગતિનો માર્ગ ખુલવાની શક્યતા છે. સિંહ રાશિના લોકોને આ શુભ યોગથી લાભ થશે. તેમજ ધનલાભ માટેના વિશેષ યોગ બની રહ્યા છે. તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે.

કન્યા રાશિ

આ શુભ યોગને કારણે કન્યા રાશિના લોકોનું બેંક બેલેન્સમાં વધારો થઈ શકે છે. અટકેલા પૈસા પરત મળી શકશે. બેરોજગાર લોકોને સારી નોકરી મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા ઘણી સારી થશે. 

આ પણ વાંચો : એ સગીરા હતી બસ એટલું પૂરતું છે, મામલો ગંભીર છે...', સુપ્રીમ કોર્ટે દુષ્કર્મીઓની જામીન અરજી ફગાવી

કુંભ રાશિ 

કુંભ રાશિના લોકોની આવકમાં વધારો થઈ શકે છે. માન-સન્માન વધશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમને મિત્રો અને સંબંધીઓનો સહયોગ પણ મળી શકે છે. આ ઉપરાંત પૈતૃક સંપત્તિથી લાભ થવાની શક્યતા છે. ખર્ચ વધી શકે છે.

મીન રાશિ 

મીન રાશિના લોકો ધાર્મિક કાર્યોમાં રસ વધશે. તમને નોકરી અને વ્યવસાયમાં મોટો નફો મળી શકે છે. આ સમય બાળકો માટે પણ સારો માનવામાં આવે છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે.

Tags :