Astro

નવરાત્રિમાં બનશે શક્તિશાળી મહાલક્ષ્મી રાજયોગ, આ રાશિઓ પર થશે મા લક્ષ્મીની કૃપા

By GS TEAM
11 Sep 20252 mins read
TukuTouch Logo
આ વર્ષે શારદીય નવરાત્રિનો તહેવાર 22 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. દર વર્ષે શારદીય નવરાત્રિનું વ્રત અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. પંચાંગ પ્રમાણે નવરાત્રિ દરમિયાન 24 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ગ્રહોના સેનાપતિ મંગળ દેવતા પહેલાથી જ બિરાજમાન હશે. 24 સપ્ટેમ્બરના રોજ તુલા રાશિમાં ચંદ્ર-મંગળની યુતિથી મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે, જેને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. જ્યોતિષીઓના મતે આ યુતિ નવરાત્રિમાં બનવા જઈ રહી છે, જેના કારણે આ સમય દરમિયાન માતા લક્ષ્મીની સાથે માતા દુર્ગાનો પણ અનેક રાશિઓને આશીર્વાદ પ્રાપ્ત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રિમાં બનશે શક્તિશાળી મહાલક્ષ્મી રાજયોગ, આ રાશિઓ પર થશે મા લક્ષ્મીની કૃપા

Navratri 2025: આ વર્ષે શારદીય નવરાત્રિનો તહેવાર 22 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. દર વર્ષે શારદીય નવરાત્રિનું વ્રત અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. પંચાંગ પ્રમાણે નવરાત્રિ દરમિયાન 24 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ગ્રહોના સેનાપતિ મંગળ દેવતા પહેલાથી જ બિરાજમાન હશે. 24 સપ્ટેમ્બરના રોજ તુલા રાશિમાં ચંદ્ર-મંગળની યુતિથી મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે, જેને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. જ્યોતિષીઓના મતે આ યુતિ નવરાત્રિમાં બનવા જઈ રહી છે, જેના કારણે આ સમય દરમિયાન માતા લક્ષ્મીની સાથે માતા દુર્ગાનો પણ અનેક રાશિઓને આશીર્વાદ પ્રાપ્ત થશે. 

તુલા રાશિ

નવરાત્રિમાં મહાલક્ષ્મી રાજયોગના નિર્માણથી તુલા રાશિના જાતકોને લાભ પ્રાપ્ત થશે. લગ્નજીવન સારું રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રોનો સહયોગ મળશે. મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થશે.

મકર રાશિ

મકર રાશિના જાતકોના સારા દિવસો શરૂ થશે. તમને નોકરીમાં પ્રગતિ મળશે જેનાથી તમારી આવકમાં પણ વધારો થશે. તમને ઓફિસમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. તમને પ્રમોશન મળી શકે છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું

કુંભ રાશિ

નવરાત્રિમાં મહાલક્ષ્મી રાજયોગના નિર્માણથી કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી થશે. અચાનક ભાગ્ય ચમકશે. વ્યાપારમાં નફો થશે. પરિવાર સાથે સારો સમય વિતાવશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. પાર્ટનર સાથે સબંધ વધુ મજબૂત થશે.