Get The App

શનિ વક્રી 2026: દિવાળી સુધી 3 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, ધાર્યા કામ પાર પડશે

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
શનિ વક્રી 2026: દિવાળી સુધી 3 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, ધાર્યા કામ પાર પડશે 1 - image

Shani Vakri 2026: 27 જુલાઈ 2026ના રોજ ન્યાયના દેવ શનિ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. એટલે કે આ દિવસથી શનિની ઊંધી ચાલ શરૂ થશે. ત્યારબાદ શનિ 11 ડિસેમ્બર 2026 સુધી વક્રી અવસ્થામાં જ રહેશે. શનિ પૂરા 138 દિવસ સુધી વક્રી રહેવાના છે. આ સમયગાળા દરમિયાન 8 નવેમ્બરે દિવાળીનો તહેવાર પણ ઉજવવામાં આવશે. જ્યોતિષીઓનું કહેવું છે કે શનિની વક્રી ચાલ ત્રણ રાશિઓ માટે અત્યંત શુભ પરિણામ આપનારી છે. આ ભાગ્યશાળી રાશિઓ માટે દિવાળી સુધીનો સમય ખૂબ જ જોરદાર રહેવાનો છે.

મેષ રાશિ

કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી જૂની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. નોકરી અને વેપાર બંને ક્ષેત્રોમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં જતી જણાશે. જો તમારા નાણાં ક્યાંક અટવાયેલા હોય અથવા દેવાને લઈને ચિંતા હોય, તો તેમાં રાહત મળવાની શક્યતા છે. આ સમયે ખર્ચ પર નિયંત્રણ રહેશે અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. નોકરી કરતા લોકોને પગાર વધારો અથવા વધારાના આર્થિક લાભ મળવાના સંકેત પણ છે.  પરંતુ આ સમય દરમિયાન ઝડપથી પૈસા કમાવવાની લાલચથી દૂર રહેવું અને ખોટા રસ્તાઓથી બચવું જરૂરી રહેશે.

કર્ક રાશિ

વેપારી વર્ગ એટલે કે ધંધાદારી લોકોને પ્રગતિની નવી તકો મળી શકે છે. જે લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે અથવા સ્ટાર્ટઅપ વિશે વિચારી રહ્યા છે, તેમના માટે આ સમય સાનુકૂળ રહી શકે છે. પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ વિસ્તરણની તકો મળી શકે છે. કેટલાક લોકો નોકરીની સાથે વ્યવસાય તરફ ડગલું માંડવાનું વિચારી શકે છે અને પરિસ્થિતિઓ પણ તેમને સાથ આપશે. માનસિક તણાવ અને ચિંતામાં ઘટાડો થશે અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિમાં કરો આ વસ્તુઓનું ગુપ્ત દાન, મા દુર્ગાના મળશે આશીર્વાદ!

મકર રાશિ

મકર રાશિ માટે શનિ ત્રીજા ભાવમાં વક્રી થશે. આ સ્થિતિ નોકરીયાત લોકો માટે સકારાત્મક પરિણામ આપનારી માનવામાં આવી રહી છે. આ દરમિયાન નવી નોકરીની તક મળી શકે છે અથવા કોઈ પ્રતિષ્ઠિત કંપની સાથે કામ કરવાની તક પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે, જેનાથી આત્મવિશ્વાસ પણ વધશે. ઘર, ફ્લેટ, જમીન અથવા અન્ય કોઈ મિલકતમાં રોકાણ કરવાના યોગ બની શકે છે. સાથે જ આ સમયગાળામાં કોઈ સારા સમાચાર મળવાની પણ સંભાવના છે, જે તમારા મનોબળને વધુ મજબૂત બનાવશે.