Get The App

42 દિવસ બાદ મીન રાશિમાં શનિ ચાલશે વક્રી ચાલ, આ રાશિના જાતકોની થશે ચાંદી જ ચાંદી

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
42 દિવસ બાદ મીન રાશિમાં શનિ ચાલશે વક્રી ચાલ,  આ રાશિના જાતકોની થશે ચાંદી જ ચાંદી 1 - image


Shani Vakri 2025: દરેક વ્યક્તિના જીવન પર શનિનો સૌથી વધુ પ્રભાવ પડે છે. શનિને 'કર્મફળદાતા' કહેવામાં આવશે. શનિ 13 જુલાઈના રોજ 9:36 વાગ્યે મીન રાશિમાં વક્રી ચાલ ચાલશે અને તે 28 નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં રહેશે. ત્યારબાદ શનિ સીધી ચાલ ચાલશે. આમ તો શનિની વક્રી અવસ્થા ખૂબ જ અશુભ માનવામાં આવે છે પરંતુ કેટલીક રાશિઓ માટે તે શુભ પણ રહેશે. તો ચાલો જાણીએ શનિની વક્રી અવસ્થા કઈ રાશિઓ માટે સારી માનવામાં આવી રહી છે. 

મેષ રાશિ

શનિની વક્રી ચાલના કારણે મેષ રાશિના જાતકોને બિઝનેસમાં લાભ થશે. અચાનક ધન લાભ થઈ શકે છે. જૂની બીમારીઓનો અંત આવી શકે છે.

કન્યા રાશિ

શનિની વક્રી ચાલથી કન્યા રાશિના જાતકોને ઉધાર માંથી મુક્તિ મળશે. ખર્ચા પર નિયંત્રણ રાખવું. પરિવારમાં સકારાત્મક માહોલ રહેશે. કાર્યોમાં સફળતા મળશે. 

ધન રાશિ

શનિની વક્રી ચાલથી ધન રાશિના જાતકોને બધાનું સમર્થન પ્રાપ્ત થશે. આ બદલાતી ચાલ ધન રાશિના જાતકો માટે સારા દિવસો લાવશે. ધન આવવાના યોગ બની રહ્યા છે. 

આ પણ વાંચો: કાશ્મીરથી ગુજરાત સુધી BSFની મહિલા જવાનોએ મોરચો સંભાળ્યો, ઓપરેશન સિંદૂર નારી શક્તિનું પ્રતિક: PM મોદી

મકર રાશિ

શનિની વક્રી ચાલથી મકર રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સારી નોકરી મળી શકે છે. 

કુંભ રાશિ

શનિની વક્રી ચાલથી કુંભ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં વધારો થશે. સમાજમાં માન-સન્માન વધશે. સુખ-સુવિધામાં વધારો થશે. લગ્નજીવન સારું રહેશે.

Tags :