Get The App

2027 સુધી કુંભ-મીન સહિત આ રાશિના જાતકો ખાસ સાચવજો! સાડાસાતી અને ઢૈય્યાના બેવડા મારની રહેશે અસર

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
2027 સુધી કુંભ-મીન સહિત આ રાશિના જાતકો ખાસ સાચવજો! સાડાસાતી અને ઢૈય્યાના બેવડા મારની રહેશે અસર 1 - image


Shani Gochar Shani Dhaiya and Sade Sati: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી કઠોર અને કર્મફળ આપનારો ગ્રહ માનવામાં આવે છે. શનિની સાડાસાતી અને ઢૈય્યા દરેક વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે. શનિની સાડાસાતી લગભગ 7 વર્ષ રહે છે અને ઢૈય્યા લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આ સમયગાળા દરમિયાન શનિ ગ્રહ વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. સારા કર્મો કરવા બદલ લાભ મળે છે, જ્યારે અશુભ કર્મો કરવા બદલ મુશ્કેલીઓ, અવરોધો અને સંકટ ઉત્પન્ન થઈ શકે છે. હાલમાં શનિ ગ્રહ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે, તે 2027 સુધી આ જ રાશિમાં રહેશે. જેના પરિણામે ઘણી રાશિના જાતકો માટે શનિની સાડાસાતી અને ઢૈય્યા પડકારજનક સાબિત થઈ શકે છે. જીવનમાં આર્થિક મુશ્કેલીઓ, સ્વાસ્થ્ય સબંધિત મુશ્કેલીઓ અને માનસિક તણાવના યોગ છે.

સાડાસાતીની અસર

મેષ રાશિ

મેષ રાશિના જાતકો પર વર્તમાનમાં સાડાસાતીની અસર ખૂબ જ પીડાદાયક રહેશે. વ્યવસાયમાં મંદી, રોકાણમાં નુકસાન અને અચાનક નાણાકીય પડકારોના યોગ બની શકે છે. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

મીન રાશિ

મીન રાશિ પર શનિની સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ દરમિયાન વ્યક્તિગત જીવન અને કારકિર્દીમાં સ્થિરતા જાળવવી મુશ્કેલ બની શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિ પર શનિની સાડાસાતીનો ત્રીજો અને અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. આ તબક્કામાં જૂના સંકટો ઊભરી શકે છે અને લાંબા સમય સુધી ચાલતા નિર્ણયો પર પ્રભાવ પડી શકે છે. 

સાડાસાતી દરમિયાન સંયમ, ધીરજ અને વિવેકપૂર્ણ નિર્ણય લેવો ખૂબ જરૂરી છે. આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના જોખમભર્યા રોકાણ અથવા મોટા નિર્ણયો ટાળવા લાભદાયી રહેશે. 

ઢૈય્યાની અસર

બીજી તરફ ધન અને સિંહ રાશિના જાતકો પર શનિની ઢૈય્યા ચાલી રહી છે, જે 2027 સુધી ચાલુ રહેશે. ઢૈય્યાની અસરથી સ્વાસ્થ્ય નબળું પડી શકે છે અને ઈજા કે દુર્ઘટનાના યોગ બની શકે છે. જીવનમાં અણધાર્યા તણાવ અને અવરોધોનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં સંતુલિત જીવનશૈલી, સમયસર ભોજન અને સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

આ પણ વાંચો: આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું અમેરિકા! ઈઝરાયલ-મિડલ ઈસ્ટની ચિંતા

ઉપાય

શનિને અનુકૂળ વસ્તુઓ દાન કરવું લાભદાયી માનવામાં આવે છે. કાળા તલ, કાળા વસ્ત્ર, સરસવનું તેલ અથવા કાળા રંગની કોઈપણ વસ્તુનું દાન કરવું, ખાસ કરીને શુક્રવારે આ દાન કરવું શુભ માનવામાં આવે છે. સંયમિત જીવન, નિયમિત પૂજા અને ધ્યાન માનસિક શાંતિ અને અવરોધોથી સુરક્ષામાં મદદ કરે છે.