Get The App

3 રાશિના જાતકોને મળશે શનિદેવના આશીર્વાદ, ધન-દૌલતનો થશે વરસાદ!

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
3 રાશિના જાતકોને મળશે શનિદેવના આશીર્વાદ, ધન-દૌલતનો થશે વરસાદ! 1 - image


Shani Gochar 2026: નવું વર્ષ શરૂ થઈ ગયું છે, અને વર્ષ સારું રહેશે કે પડકારજનક તે મોટાભાગે શનિ અને ગુરુની સ્થિતિઓ પર આધાર રાખે છે. વર્ષ 2026માં શનિદેવ ખઈ સ્થિતિમાં રહેશે, અલગ-અલગ રાશિઓ પર તેનો પ્રભાવ કેવો પડશે, કયા લોકો માટે આ સમય શુભ રહેશે અને કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, અને કયા ઉપાયો કરવા જોઈએ? ચાલો આ બધુ વિગતવાર જાણીએ.

2026માં શનિદેવની સ્થિતિ આવી રહેશે

વર્ષ 2026માં શનિદેવ આખું વર્ષ મીન રાશિમાં બિરાજમાન રહેશે. 27 જુલાઈ, 2026ના રોજ શનિ વક્રી થશે અને 11 ડિસેમ્બર, 2026ના રોજ માર્ગી થઈને સીધી ચાલ ચાલશે. પરંતુ આ દરમિયાન પણ તેઓ મીન રાશિમાં જ રહેશે. આ કારણોસર કુંભ, મીન અને મેષ રાશિના જાતકો પર સાડાસાતી રહેશે, જ્યારે સિંહ અને ધન રાશિ પર ઢૈય્યા રહેશે. જૂનથી ડિસેમ્બર વચ્ચે તેની અસરોમાં થોડી ઉતાર-ચઢાવ આવી શકે છે.

શનિ અને ગુરુ એવા ગ્રહો છે જેની ચાલ દેશ-દુનિયા બદલવાની ક્ષમતા રાખે છે. 2026માં શનિદેવ મીન રાશિમાં સ્થિર રહેશે, જ્યારે ગુરુ મિથુન, કર્ક અને સિંહ રાશિમાં ગોચર કરશે.  જૂન 2026 સુધી શનિ અને ગુરુનો કેન્દ્રીય સબંધ બન્યો રહેશે, જે વૈશ્વિક સ્તર પર અશાંતિ અને અસ્થિરતા વધારી શકે છે. એપ્રિલથી શરૂ થતા સંવતમાં ગુરુ રાજા અને મંગળ મંત્રી હશે. રાજા તરીકે ગુરુનું સ્થાન સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે. તેથી એપ્રિલ, મે અને જૂન 2026ની વચ્ચે  સમગ્ર વિશ્વમાં ઉથલપાથલ, રાજકીય પરિવર્તન અને અસ્થિરતાના સંકેતો દેખાઈ રહ્યા છે. ભારતની કુંડળીમાં મંગળની દશા ચાલી રહી છે અને મંગળ આ વર્ષે મંત્રી પણ છે. તેથી, ભારતીય રાજકારણમાં મોટા પરિવર્તન, પદ પરથી રાજીનામું અને સત્તામાં પરિવર્તન શક્ય છે.

આ દરમિયાનભારતના પાડોશી દેશો ખાસ કરીને બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. આ પ્રભાવના કારણે 2026ની શરૂઆતથી જ નોકરીમાં ફેરફાર, ટ્રાન્સફર, છટણી અને કારકિર્દીમાં અસ્થિરતાના સંકેતો દેખાવા લાગ્યા છે, જે જૂન સુધી ચાલુ રહી શકે છે. તો ચાલો પંડિત શૈલેન્દ્ર પાંડે પાસેથી જાણીએ કે 2026માં શનિદેવ તરફથી કઈ રાશિઓને શુભ પરિણામો આપશે અને કઈ રાશિઓને અશુભ પરિણામો આપશે.

મેષ રાશિ

મેષ રાશિ પર સાડાસાતી ચાલુ રહેશે. કારકિર્દીમાં મજબૂરીમાં પરિવર્તન, સ્થળાંતર અને બિનજરૂરી ચિંતાઓ પરેશાન કરી શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે અને તમારા માન-સન્માન પર પણ અસર પડી શકે છે. આખા વર્ષ દરમિયાન દરરોજ સાંજે "શં શં શનૈશ્ચરાય નમઃ" મંત્રનો જાપ કરવાથી ફાયદો થશે.

વૃષભ રાશિ

વર્ષ 2026માં વૃષભ રાશિ માટે શનિ અત્યંત શુભ રહેશે. અગિયારમા ભાવમાં શનિનું ગોચર અટકેલા કાર્યો પૂર્ણ કરાવશે. વિવાદો અને કેસમાં સફળતા પ્રાપ્ત થશે. કારકિર્દીમાં મોટું પદ, મોટો લાભ અને સમજી-વિચારીને કરવામાં આવેલું સ્થાન પરિવર્તન ફાયદાકારક રહેશે. શનિવારે ભોજન અથવા અનાજનું દાન કરો.

મિથુન રાશિ

દસમા ભાવમાં શનિનું ગોચર સ્થાન પરિવર્તનના યોગ બનાવી રહ્યું છે. માર્ચથી મે વચ્ચે પરિવર્તન શક્ય છે, જે અંતે લાભ આપશે. કારકિર્દી અને આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ કામનું દબાણ વધુ રહેશે. શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો.

કર્ક રાશિ

નવમા ભાવમાં શનિ તમારા જીવનમાં મોટા ફેરફારો લાવશે. વૈવાહિક અને પારિવારિક જીવનમાં તણાવ શક્ય છે, તમારા પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. સંતાન અને વિવાહના શુભ યોગ છે. હનુમાન ચાલીસાનો પાઠ આખા વર્ષ દરમિયાન લાભદાયી રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિ પર ઢૈય્યાનો પ્રચંડ પ્રભાવ રહેશે. સ્થાન પરિવર્તન, દુર્ઘટના, કારકિર્દીનું દબાણ અને સંબંધોમાં વિવાદના યોગ છે. સાવધાની ન રાખવામાં નુકસાન થઈ શકે છે. દરરોજ 108 વાર શનિ મંત્રનો જાપ કરો અને શનિવારે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો.

કન્યા રાશિ

સાતમા ભાવમાં શનિ નોકરી અને વ્યવસાયમાં લાભ આપશે, પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓ ખાસ કરીને હાડકાં, નસો અને માઈગ્રેન સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. તમારા પરિવારના વૃદ્ધોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નિયમિતપણે શનિ મંત્રનો જાપ કરો.

તુલા રાશિ

છઠ્ઠા ભાવમાં શનિનું ગોચર અત્યંત શુભ છે. સ્વાસ્થ્યમાં સુધારો, કારકિર્દીમાં પ્રગતિ થશે અને વિવાહના યોગ બનશે. અટકેલા કામ પૂર્ણ થશે. શનિવારે ગરીબોને અનાજ અથવા ભોજનનું દાન કરો. 

વૃશ્ચિક રાશિ

પાંચમા ભાવમાં શનિ સ્વાસ્થ્ય અને માનસિક તણાવ વધારી શકે છે. તમારા કરિયરમાં સમજ્યા-વિચાર્યા વિના જોખમો લેવાનું ટાળો. વિવાહ અને સંતાનના યોગ શુભ છે. શનિવારે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો ફાયદાકારક રહેશે.

ધન રાશિ

ધન રાશિના જાતકો પર ઢૈય્યાનો પ્રભાવ રહેશે. શરૂઆતના મહિનામાં રાહત મળશે, પરંતુ બાદમાં આર્થિક દબાણ વધી શકે છે. સ્થાન પરિવર્તનના પ્રબળ યોગ છે. મોટા નિર્ણયો જૂનથી પહેલા લઈ લો અને નિયમિત શનિ મંત્રનો જાપ કરો. 

મકર રાશિ

ત્રીજા ભાવમાં શનિની સ્થિતિ અત્યંત શુભ રહેશે, જેનાથી મકર રાશિના જાતકોને કારકિર્દી, ધન અને પ્રયત્નોમાં સફળતા મળશે. નોકરી શોધી રહેલા લોકોને તકો મળશે. શનિવારે અનાજ અને કપડાંનું દાન કરો.

આ પણ વાંચો: અમેરિકા-વેનેઝુએલાની ઘમસાણની અસર સોના-ચાંદી પર પડી, રૉકેટ ગતિએ ઉછળ્યા ભાવ

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે ઉતરતી સાડાસાતી સંઘર્ષ વધારશે. મહેનત વિના લાભ નહીં મળશે. સ્વાસ્થ્ય અને માનસિક તણાવની સમસ્યા રહી શકે છે. કારકિર્દીમાં જોખમ ન લેવું. આખું વર્ષ શનિ મંત્રનો જાપ કરો અને શનિવારે દીપ પ્રગટાવો. 

મીન રાશિ

સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. કારકિર્દી અને આર્થિક દબાણ રહેશે. કોઈ ઠોસ વિકલ્પ વિના નોકરી ન છોડો. મોટા રોકાણો અને નિર્ણયો સમજી-વિચારીને લો. વિવાહ અને વર્ષની શરૂઆતમાં પ્રોપર્ટીના યોગ શુભ છે.