Get The App

શનિ મીન રાશિમાં માર્ગી થતાં આ રાશિના જાતકોએ 233 દિવસ સુધી સાવચેત રહેવું પડશે!

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
શનિ મીન રાશિમાં માર્ગી થતાં આ રાશિના જાતકોએ 233 દિવસ સુધી સાવચેત રહેવું પડશે! 1 - image

Shani Margi In Meen: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોનું પરિવર્તન માનવ જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે. 28મી નવેમ્બર 2025ના રોજ શનિ ગ્રહ મીન રાશિમાં માર્ગી થયો છે, જેનો સૌથી વધુ પ્રભાવ કુંભ રાશિ પર જોવા મળશે. હાલમાં કુંભ રાશિ સાડાસાતીના અંતિમ તબક્કાનો અનુભવ કરી રહી છે, તેથી આગામી 233 દિવસો દરમિયાન આ રાશિના જાતકોએ જીવનના વિવિધ પાસાઓમાં ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે.

વ્યવસાય અને નોકરીમાં ઉતાર-ચઢાવ

કુંભ રાશિના જાતકો માટે આ માર્ગી ગોચર મિશ્ર પરિણામ લઈને આવ્યું છે. વ્યવસાયમાં તમને નફો થઈ શકે છે, પરંતુ દુશ્મનોથી સાવધ રહેવું પડશે. નોકરીમાં ઉતાર-ચઢાવનો અનુભવ થશે, છતાં સખત મહેનત ચાલુ રાખવાથી સફળતા મળશે. રાજકારણમાં લાભ જોવા મળી શકે છે. જો કે, વ્યવસાય અપેક્ષિત પરિણામો ન આપે તો નિરાશાનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી.

આ પણ વાંચો: હિન્દુ લગ્નોમાં દુલ્હન લાલ જોડા કેમ પહેરે છે? જાણો તેનું આધ્યાત્મિક કારણ!

સંબંધોમાં તણાવ અને સુધારો

કુંભ રાશિના જાતકોના પારિવારિક જીવનમાં થોડો તણાવ અનુભવાઈ શકે છે. કૌટુંબિક તણાવનો અનુભવ થઈ શકે છે અને પરિવારથી દૂર જવાનું મન પણ થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. જોકે, સમય જતાં કૌટુંબિક બાબતો સુધરશે. વૈવાહિક તણાવ દૂર થશે અને તમે એકબીજાની નજીક અનુભવશો, જેનાથી સંબંધો મજબૂત બનશે.

શિક્ષણમાં મહેનત અનિવાર્ય

વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો મહેનત માગી લેનારો છે. આ વર્ષ વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ રહેશે, પરંતુ અંતે સકારાત્મક પરિણામો જોવા મળશે. કામનો ભાર વધુ રહેશે, પરંતુ બધાં કાર્યો ખંતથી કરવા જોઈએ. કોઈપણ કાર્યમાં ઉતાવળ કરવાનું ટાળવું; નહીં તો નુકસાન થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે.

સ્વાસ્થ્ય: હાડકાં અને હૃદયની સંભાળ જરૂરી

શનિના પ્રભાવથી કુંભ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.  જેમને હાડકાં સંબંધિત અને હૃદય સંબંધિત સમસ્યાઓ છે, તેઓએ પોતાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. સ્વાસ્થ્યની અવગણના કરવી ગંભીર સમસ્યાઓ નોતરી શકે છે. દિનચર્યામાં પણ ફેરફાર કરવાની જરૂર પડશે.

શનિદેવની કૃપા મેળવવાના ઉપાય

શનિના અશુભ પ્રભાવને ઘટાડવા અને સકારાત્મક પરિણામો મેળવવા માટે આ ઉપાયો લાભદાયી છે. દર શનિવારે પીપળાના ઝાડ નીચે તેલના બે દીવા પ્રગટાવો અને ભગવાન શનિદેવની પૂજા કરો. આનાથી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે. ભગવાન ગણેશની પૂજા કરવાથી પણ લાભ થશે.

Tags :