Get The App

પિતૃ પક્ષમાં ક્યારે કરવામાં આવે છે ત્રિપિંડી શ્રાદ્ધ; જાણો તેનું મહત્ત્વ, વિધિ અને નિયમો

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
પિતૃ પક્ષમાં ક્યારે કરવામાં આવે છે ત્રિપિંડી શ્રાદ્ધ; જાણો તેનું મહત્ત્વ, વિધિ અને નિયમો 1 - image


Pitru Paksha 2025: આજે પિતૃ પક્ષનો પહેલો દિવસ એટલે કે પ્રતિપદા તિથિનું શ્રાદ્ધ છે. પિતૃઓના આત્માની શાંતિ માટે પિતૃ પક્ષમાં 16 દિવસ નિયમ મુજબ શ્રાદ્ધ કરવામાં આવે છે. ભવિષ્યપુરાણમાં 12 પ્રકારના શ્રાદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી એક ત્રિપિંડી શ્રાદ્ધ છે. ત્રિપિંડી શ્રાદ્ધ કોના માટે કરવામાં આવે છે, આ શ્રાદ્ધ કોણ કરી શકે છે અને તેનું શું મહત્ત્વ છે તે જાણીએ.

આ પણ વાંચો: શ્રાદ્ધ પક્ષ 2025: આજથી શરૂ થશે શ્રાદ્ધ, જાણો પિતૃપૂજનની મહત્ત્વની તિથિઓ અને તેનું મહત્ત્વ

ત્રિપિંડી શ્રાદ્ધ શું છે

ત્રિપિંડી શ્રાદ્ધનો અર્થ એવો છે કે, પરિવારની છેલ્લી ત્રણ પેઢીઓનું પિંડદાન કરવું અને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું અકાળે, નાની ઉંમરમાં અથવા વૃદ્ધાવસ્થામાં મૃત્યુ થયું હોય તો તેમની આત્માની શાંતિ અને મોક્ષ માટે આ શ્રાદ્ધ કરવામાં આવે છે.  

તમોગુણી, રજોગુણી અને સતોગુણી આ ત્રણ પ્રકારની પ્રેત યોનીઓ હોય છે. જ્યારે કોઈ આત્મા જીવનકાળમાં અશાંત રહે છે અને શરીરનો ત્યાગ કર્યા પછી શાંતિ પ્રાપ્ત નથી કરી શકતાં, તો તે પોતાના વંશજોને દુખ પહોચાડે છે.

ત્રિપિંડી શ્રાદ્ધ ત્ર્યંબકેશ્વરમાં કરવામાં આવે છે

પિતૃ પક્ષમાં ત્રિપિંડી શ્રાદ્ધ પાંચમ, આઠમ, અગિયારસ, તેરસ, ચૌદશ અને અમાવસ્યામાંથી કોઈપણ એક દિવસ કરી શકાય છે. ત્રિપિંડી શ્રાદ્ધ ત્ર્યંબકેશ્વરમાં કરવામાં આવે છે. જે ભગવાન શિવજીનું પવિત્ર સ્થાન ગણાય છે. 

આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 8 થી 14 સપ્ટેમ્બર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે

કોણ કરી શકે છે ત્રિપિંડી શ્રાદ્ધ 

અવિવાહિત પુરુષ, પતિ-પત્ની સાથે અથવા વિધવા મહિલાઓ આ શ્રાદ્ધ તેમના પૂર્વજોના મોક્ષ અપાવવા માટે અને પરિવારના કલ્યાણ માટે કરી શકે છે. 

Tags :