Astro

7 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ: પિતૃદોષ દૂર કરવા જરૂર કરો આ ઉપાય

By GS TEAM
5 Sep 20252 mins read
TukuTouch Logo
આ વખતે પિતૃ પક્ષની શરુઆત 7 સપ્ટેમ્બરે થવાની છે. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની પૂર્ણિમાં તિથિથી પિતૃ પક્ષની શરુઆત થઈ રહી છે. જ્યોતિષીઓના મતે, કુંડળીમાંથી પિતૃ દોષ દૂર કરવા માટે પિતૃ પક્ષનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. પિતૃ પક્ષના 15 દિવસ દરમિયાન, પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઘણા ઉપાયો કરવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

7 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ: પિતૃદોષ દૂર કરવા જરૂર કરો આ ઉપાય
Image AI

Pitru Paksha 2025: આ વખતે પિતૃ પક્ષની શરુઆત 7 સપ્ટેમ્બરે થવાની છે. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની પૂર્ણિમાં તિથિથી પિતૃ પક્ષની શરુઆત થઈ રહી છે. જ્યોતિષીઓના મતે, કુંડળીમાંથી પિતૃ દોષ દૂર કરવા માટે પિતૃ પક્ષનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. પિતૃ પક્ષના 15 દિવસ દરમિયાન, પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઘણા ઉપાયો કરવામાં આવે છે.

આ પણ વાંચો: 15 સપ્ટેમ્બરથી આ રાશિના જાતકોનું ભાગ્ય પલટાશે કેમ કે શુક્ર દેવ કરશે ગોચર

પિતૃ દોષથી રાહત મેળવવા માટે પિતૃ પક્ષની પૂજા કરવી શ્રેષ્ઠ

જ્યોતિષીઓના કહેવા પ્રમાણે કુંડળીમાં પિતૃ દોષથી રાહત મેળવવા માટે પિતૃ પક્ષની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પિતૃ પક્ષના 15 દિવસ દરમિયાન પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઘણા ઉપાયો કરવામાં આવે છે. પિતૃઓના આશીર્વાદ મેળવવાની સાથે સાથે પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે પણ ઘણા ઉપાયો કરવામાં આવે છે. તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે.

હૃદયપૂર્વક જળ અને તલ અર્પણ કરો

પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. હૃદયપૂર્વક જળ અને તલ અર્પણ કરો અને પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ.

ઘરની દક્ષિણ દિવાલ પર પૂર્વજોની તસવીર લગાવો

આ ઉપરાંત, પિતૃ પક્ષ દરમિયાન ઘરની દક્ષિણ દિવાલ પર પૂર્વજોની તસવીર લગાવો અને પછી તેમની તસવીર સામે દીવો પ્રગટાવો. કુંડળીમાંથી પિતૃદોષ દૂર કરવા માટે શ્રાદ્ધ તિથિએ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. આ દોષ ઘટાડવાનો સૌથી અસરકારક માર્ગ માનવામાં આવે છે.

આ પણ વાંચો: ચંદ્રગ્રહણ પછી કરો 2 વસ્તુઓનું દાન, બૅન્ક બેલેન્સમાં થવા લાગશે વધારો!

પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવી જળ અર્પણ કરો

પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો અને જળ અર્પણ કરવું એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત દરરોજ પિતૃસ્તોત્રનો પાઠ કરો અને આ હેતુ માટે તેમના નિમિત્તે ભોગ લગાવો.