Numerology: ચાંદી પોતાની વધતી કિંમતના કારણે હાલમાં ચર્ચામાં છે. ચાંદીએ બજારમાં રોકાણકારોની સાથે-સાથે અંક જ્યોતિષના વિદ્વાનોનું ધ્યાન પણ પોતાના તરફ ખેંચ્યું છે. જ્યોતિષમાં ચાંદીનો સબંધ ચંદ્ર સાથે માનવામાં આવ્યો છે, જે મન, ભાવના અને સુખ-શાંતિનો કારક ગ્રહ છે. અંક જ્યોતિષમાં ચંદ્રનો અંક 2 બતાવવામાં આવ્યો છે. કહેવાય છે કે, આ મૂળાંકના જાતકો પર ચંદ્રની વિશેષ કૃપા રહે છે. તેથી તેને ચાંદી ખૂબ ફળે છે.
ચાંદી આ 4 તારીખે જન્મેલા લોકો માટે અત્યંત લકી
અંકશાસ્ત્ર પ્રમાણે કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 2 હોય છે. મૂળાંક 2ના જાતકો માટે ચાંદી વિશેષ રીતે લાભદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે આ મૂળાંકના જાતકોએ ચાંદી ચોક્કસપણે પહેરવી જોઈએ. તેનાથી જાતકોને સુખ-શાંતિનો અનુભવ થાય છે. વ્યક્તિ મોટા અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો સરળતાથી લઈ શકે છે. સબંધોમાં સ્થિરતા બની રહે છે. ક્રોધ, અહંકાર દૂર રહે છે. પારિવારિક જીવનમાં તણાવમાં ઘટાડો થાય છે અને કરિયરમાં પ્રગતિ થાય છે.
ચાંદીના કયા ઘરેણાં પહેરવા જોઈએ?
મૂળાંક 2ના જાતકો જ્યોતિષની સલાહ લીધા પછી ચાંદીની વીંટી પહેરી શકે છે. આ ઉપરાંત તમે ચાંદીનું કડું અથવા બ્રેસલેટ પણ પહેરી શકો છો. જો તમે ઈચ્છો તો તમારા પર્સમાં ચાંદીનો સિક્કો પણ રાખી શકો છો. સોમવારે ચાંદી પહેરવી વધુ શુભ માનવામાં આવે છે. ચાંદી પહેર્યા પછી દૂધ, ચોખા અથવા સફેદ મીઠાઈનું દાન કરવું શ્રેષ્ઠ છે.
આ જાતકો માટે શુભ હોય છે સોનું
જ્યોતિષમાં સોનાને સૂર્યની ધાતુ માનવામાં આવે છે. સૂર્યનો અંક 1 હોય છે. કોઈ પણ મહિનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મેલા જાતકોનો મૂળાંક 1 હોય છે. આ જાતકો માટે સોનું સૌથી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, સોનું પહેરવાથી મૂળાંક 2ના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. નેતૃત્વ ક્ષમતા મજબૂત બને છે. કરિયરમાં ગ્રોથ અને સ્થિરતા વધે છે. માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા અને સરકારી કાર્યોમાં આવનારા અવરોધો દૂર થાય છે.


