Get The App

Numerology: રાજા જેવી લાઈફ જીવે છે આ તારીખો પર જન્મેલા લોકો, પર્સનાલિટી હોય છે રોયલ

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
Numerology: રાજા જેવી લાઈફ જીવે છે આ તારીખો પર જન્મેલા લોકો, પર્સનાલિટી હોય છે રોયલ 1 - image


Numerology Interesting Facts Related Mulank 1: વ્યક્તિનું આવનારુ ભવિષ્ય કેવું હશે અને તેની પર્સનાલિટી કેવી હશે, એ વાતની માહિતી તેની જન્મ તારીખ પરથી જાણી શકાય છે. જન્મ તારીખ પરથી ભવિષ્ય જાણવાની પદ્ધતિને ન્યૂમરોલોઝી એટલે કે અંકશાસ્ત્ર કહેવામાં આવે છે. આ વિદ્યામાં વ્યક્તિની જન્મ તારીખ ઉમેરીને એક સંખ્યા નીકાળવામાં આવે છે, જેને મુલાંક એટલે કે ભાગ્યશાળી નંબર કહેવામાં આવે છે. આજે અમે તમને એક એવા મુલાંક વિશે જણાવી રહ્યા છીએ, જે આ તારીખે જન્મેલી વ્યક્તિ રાજાની જેમ જીવન જીવે છે અને શાહી સ્વભાવની હોય છે. જાણો આ કયો મુલાંક છે.

આ પણ વાંચો : એક ઉપાયથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ફળ! 19 વર્ષ બાદ યોગિની અગિયારસ પર સંયોગ

આ 4 તારીખે જન્મેલા લોકોની હોય છે રોયલ પર્સનાલિટી

ન્યૂમરોલોજી અનુસાર જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 અથવા 28 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 1 હોય છે. અંક 1 સૂર્ય સાથે સંબંધિત છે, જે ગ્રહોનો રાજા છે. એટલે 1 મૂલાંક ધરાવતા લોકો રાજાની જેમ જીવન જીવવાનું પસંદ કરે છે અને તેમની પર્સનાલિટી પણ શાહી હોય છે.

આ પણ વાંચો : મિથુન-કન્યા સહિત આ 3 રાશિના જાતકો ખાસ સાચવજો! નક્ષત્ર પરિવર્તનના કારણે થઈ શકે છે પૈસાની તંગી

કેવા હોય છે મૂલાંક 1 વાળા લોકો 

  • મૂલાંક 1 વાળા લોકો સફળ લીડર હોય છે. તેઓ ગમે તે ક્ષેત્રમાં જાય છે તેમાં પોતાની આગવી ઓળખ ઉભી કરે છે. 
  • તેઓ હંમેશા અભ્યાસમાં પ્રથમ આવે છે. શાળા હોય કે કોલેજ, તેઓ હંમેશા સૌથી આગળ હોય છે.
  • આ મૂલાંકવાળાઓનો અવાજ પ્રભાવશાળી અને આકર્ષક હોય છે, જેના કારણે લોકો તેમના તરફ આકર્ષાય છે.
  • આ લોકોની પાસે ઘણી બધી પૈતૃક મિલકત હોય છે, જેના કારણે તેમને ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી.
  • આ મૂલાંકવાળીઓની જીવનસાથી ખૂબ જ સુંદર છે અને બાળકો પણ હોશિયાર હોય છે. 
  • તેઓ હંમેશા તેમના જીવનસાથી પ્રત્યે પ્રામાણિક રહે છે. તેઓ અપ્રમાણિકતા અને ખોટા કાર્યોને બિલકુલ સહન કરતા નથી.
  • આ લોકો ખૂબ જ ગુસ્સે થઈ જતાં હોય છે. જ્યારે તેઓ કોઈ પર ગુસ્સે થાય છે, ત્યારે તેઓ સારું કે ખરાબ વિચારતા નથી, તેથી ઘરના દરેક લોકો તેમનાથી ડરતા હોય છે.
  • આ લોકો સ્વભાવે જિદ્દી હોય છે, જે એકવાર વિચારી લે છે તે કરીને જ છોડે છે.
Tags :