Get The App

ઉત્તરાયણ સુધી કમુરતામાં સાવધાન રહે આ 3 રાશિના જાતકો! ત્રિગ્રહી યોગના કારણે સંકટ

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તરાયણ સુધી કમુરતામાં સાવધાન રહે આ 3 રાશિના જાતકો! ત્રિગ્રહી યોગના કારણે સંકટ 1 - image



Kharmas 2025: 16 ડિસેમ્બર એટલે કે આજે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી કમુરતાની શરૂઆત થઈ જશે. આ વખતે કમુરતા ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યા છે કારણ કે, આ દિવસથી ઘણા સંગોયો બની રહ્યા છે. સૌથી પહેલા તો સૂર્ય ગુરુની રાશિ ધનમાં પ્રવેશ કરશે. બીજું કે 20 ડિસેમ્બરે શુક્ર પણ ધન રાશિમાં પ્રવેશ કરશે અને 29 ડિસેમ્બરે બુધ પણ ધન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. જ્યોતિષીઓના મતે કમુરતામાં સૂર્ય, શુક્ર અને બુધનું ધન રાશિમાં  એક સાથે પ્રવેશ ખૂબ જ નકારાત્મક અને અશુભ માનવામાં આવી રહ્યો છે. જેના કારણે ઘણી રાશિઓને સાવધાન રહેવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે.

વૃષભ રાશિ

કમુરતાથી વૃષભ રાશિના જાતકોને સંબંધો અને ભાગીદારી સાથે સબંધિત મામલે તણાવનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી અથવા બિઝનેસ પાર્ટનર સાથે મતભેદ વધી શકે છે. વાતચીત દરમિયાન ગેરસમજ થવાની આશંકા છે, તેથી તમારા શબ્દો સમજી-વિચારીને પસંદ કરો. ઉતાવળમાં લેવામાં આવેલા નિર્ણયો નુકસાન પહોંચાડી શકે છે. આર્થિક કાર્યોમાં બાધા આવી શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ પરિવાર અને માનસિક શાંતિ સંબંધિત સમસ્યાઓ લાવી શકે છે. પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય અથવા ઘરનો ખર્ચ ચિંતા વધારી કરી શકે છે. કાર્યસ્થળ પર પણ દબાણ અનુભવાઈ શકે છે. આ સમય દરમિયાન ધીરજ રાખવી પડશે. તમારા કાર્યને વ્યવસ્થિત રીતે કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીંતર નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: IPL ઓક્શનમાં રૂ.30 કરોડની બોલી લાગે તો વિદેશી ખેલાડીને 18 કરોડ જ મળશે! ચર્ચામાં નવો નિયમ

મીન રાશિ

મીન રાશિના જાતકોને કરિયર અને પ્રતિષ્ઠા સંબંધિત ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. સીનિયર અધિકારીઓ સાથે મતભેદ અથવા કામ પર અનિચ્છનીય અવરોધો શક્ય છે. ભાવનાઓમાં આવીને કોઈ મોટા નિર્ણયો લેવાનું ટાળો, કારણ કે તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે. આ દરમિયાન તમારા જીવનસાથી નાની-નાની બાબતો પર અહંકાર ટકરાવાથી સંબંધોમાં અંતર આવી શકે છે.

Tags :