Get The App

પર્સમાં રાખો 5 વસ્તુઓ, પૈસાથી હંમેશા છલકાયેલું રહેશે! મા લક્ષ્મીની રહેશે અસીમ કૃપા

Updated: Apr 3rd, 2025

GS TEAM


Google News
Google News
પર્સમાં રાખો 5 વસ્તુઓ, પૈસાથી હંમેશા છલકાયેલું રહેશે! મા લક્ષ્મીની રહેશે અસીમ કૃપા 1 - image


Image: Freepik

Grace of Goddess Lakshmi: દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સંપત્તિ અને વૈભવ ઇચ્છે છે જેના માટે તે આખું જીવન મહેનત કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં ધન સાથે જોડાયેલી સમસ્યાઓના ઉકેલ માટે અમુક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે. જેના કારણે માતા લક્ષ્મીની કૃપા રહે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સ સાથે જોડાયેલા અમુક ખાસ ઉપાય કરવાથી પર્સમાં રૂપિયા ટકવા લાગે છે. 

લાલ રંગનું કાગળ

આ એક અસરકારક ઉપાય છે. આ માટે તમારે એક લાલ રંગનું કાગળ લેવું પડશે. તેની પર પોતાની મનોકામના લખો પછી તેને રેશમી દોરાથી લપેટીને પોતાના પર્સમાં સુરક્ષિત મૂકી દો. આવું કરવાથી તમારી ઇચ્છા પૂરી થશે.

માતા લક્ષ્મીની તસવીર

પોતાના પર્સમાં માત્ર માતા લક્ષ્મીનો ફોટો રાખો, જેમાં તેઓ બેસેલી મુદ્રામાં હોય. આવું કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર રહેશે અને સમૃદ્ધિ રહેશે.

આ પણ વાંચો: Vastu Tips: રાત્રે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીંતર આર્થિક સંકટ ક્યારેય તમારો પીછો નહીં છોડે

ચાંદીનો સિક્કો

જો તમારી પાસે કોઈ ચાંદીનો સિક્કો હોય તો તેને પોતાના પર્સમાં રાખવો લાભદાયી હોય છે. તેનાથી ધાર્મિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

રાશિ સંબંધિત વસ્તુઓ

પર્સમાં પોતાની રાશિથી સંબંધિત વસ્તુઓ જરૂર રાખો. આવું કરવાથી ધનની પ્રાપ્તિ સરળતાથી થતી રહેશે.

કાળું પર્સ કેમ ન રાખવું

કાળો રંગ શનિદેવનો નકારાત્મક રંગ છે અને આ રંગ નકારાત્મકતાને વધારે છે. દરમિયાન જો તમારો શનિ સારો નથી તો કાળું પર્સ રાખવાથી મુશ્કેલીઓ આવી શકે છે.

Tags :