Get The App

હોળી પછી 15 જ દિવસમાં બે ગ્રહણ, તુલા-મકર સહિત આ 5 રાશિના જાતકોએ ખાસ સાચવવું

Updated: Mar 4th, 2025

GS TEAM


Google News
Google News
હોળી પછી 15 જ દિવસમાં બે ગ્રહણ, તુલા-મકર સહિત આ 5 રાશિના જાતકોએ ખાસ સાચવવું 1 - image


Image Source: Twitter

Holi 2025: જ્યોતિષ ગણના પ્રમાણે માર્ચ મહિનો ગ્રહ-નક્ષત્રોની ચાલ અને તહેવારોની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે. માર્ચ મહિનામાં 15 દિવસની અંદર હોળીનો તહેવાર અને 2 ગ્રહણ લાગશે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 14 માર્ચે હોળીના દિવસે લાગશે. ત્યારબાદ 29 માર્ચના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ લાગશે. આ સાથે જ તે જ દિવસે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. જોકે, આ બંને ગ્રહણ ભારતમાં નહીં દેખાશે. આવી સ્થિતિમાં તેમનો સૂતક કાળ પણ માન્ય નહીં રહેશે. તેથી હોળી પર તેની કોઈ અસર નહીં થશે. જ્યોતિષીઓના મતે 15 દિવસમાં થનારા બે ગ્રહણ સિંહ, મકર, કન્યા, તુલા અને મીન રાશિના લોકો પર નકારાત્મક અસર કરી શકે છે.

સિંહ રાશિ

માર્ચમાં લાગનારું સૂર્ય અને ચંદ્રગ્રહણ સિંહ રાશિના લોકો માટે અનુકૂળ નથી. આ ગ્રહણોના પ્રભાવને કારણે સિંહ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કારકિર્દી અને વ્યવસાયમાં પણ પડકારો આવી શકે છે, તેથી મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે સાવચેત રહેવું. આ દરમિયાન કોઈપણ મોટું નાણાકીય રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરવું.

કન્યા રાશિ

કન્યા રાશિમાં ચંદ્ર અને કેતુની યુતિ 'ગ્રહણ યોગ' બની રહ્યો છે, જે માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત આપે છે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન રોકાણ અને નાણાકીય નિર્ણયોમાં સાવધાની રાખવી જરૂરી છે. આ સાથે જ આ સમય દરમિયાન નોકરી અને વ્યવસાય સંબંધિત કામ અંગે ખૂબ સાવધાની રાખવી પડશે. તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી: વીરપુરમાં બે દિવસ સજ્જડ બંધનું એલાન, જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે સૂર્ય અને ચંદ્રગ્રહણ શુભ નથી. આ ગ્રહણ દરમિયાન તુલા રાશિના લોકોને આર્થિક નુકસાન અને કૌટુંબિક વિવાદનો સામનો કરવો પડી શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ બેદરકારી ન દાખવવી. કારકિર્દીમાં મોટું નુકસાન થઈ શકે છે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. 

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે આ સમયગાળો કારકિર્દીમાં અવરોધ અને નાણાકીય પડકારો લાવી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે સતર્ક રહેવું અને નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવવી. નોકરી કરતાં લોકોએ આ દરમિયાન સાવધાન રહેવું પડશે, નહીં તો તેઓ પોતાની નોકરી ગુમાવી શકે છે. વેપારમાં નાણાકીય રોકાણ કરવાનું ટાળો.

મીન રાશિ

મીન રાશિના જાતકોને આ ગ્રહણના પ્રભાવથી માનસિક તણાવ, આર્થિક નુકસાન અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધ્યાન અને યોગનો અભ્યાસ ફાયદાકારક રહેશે. આ દરમિયાન નાણાકીય રોકાણોમાં સાવધાની રાખવી. વ્યવસાયમાં આર્થિક નુકસાન થઈ શકે છે. તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે.

Tags :