Get The App

Holi 2025: ભોળાનાથનું એવું મંદિર જ્યાં મહાદેવ સાથે હોળી રમવા આવે છે શ્રીકૃષ્ણ

Updated: Mar 8th, 2025

GS TEAM


Google News
Google News
Holi 2025: ભોળાનાથનું એવું મંદિર જ્યાં મહાદેવ સાથે હોળી રમવા આવે છે શ્રીકૃષ્ણ 1 - image


Holi 2025: બાર જ્યોતિર્લિંગોમાં સર્વશ્રેષ્ઠ બાબા વૈદ્યનાથ ધામમાં એવી ઘણી ધાર્મિક પ્રથાઓ છે, જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. ઝારખંડના દેવઘરમાં સ્થિત બાબા વૈદ્યનાથ મંદિરમાં હોળીના અવસર પર એક અનોખી ધાર્મિક પરંપરા કરવામાં આવે છે, જે 'હરિહર મિલન' તરીકે ઓળખાય છે. 'હરિ' નો અર્થ ભગવાન વિષ્ણુ અને 'હર' નો અર્થ દેવાધિદેવ મહાદેવ છે. એવી માન્યતા છે કે 'હરિહર મિલન' સાથે જ દેવઘર અને આસપાસના વિસ્તારોમાં હોળીનો પવિત્ર તહેવાર શરૂ થાઈ જાય છે. આ વખતે વૈદ્યનાથ મંદિરમાં 'હરિહર મિલન'નું આયોજન 13 માર્ચના રોજ કરવામાં આવી રહ્યું છે. 'હરિહર મિલન' એ બાબા વૈદ્યનાથ મંદિરમાં હોળી પહેલા ઉજવવામાં આવતી એક પરંપરા છે.

'હરિહર મિલન'ના દિવસે દેવઘર પધાર્યા હતા બાબા વૈદ્યનાથ

પ્રાચીન ધાર્મિક ગ્રંથો અને બાબા મંદિરના તીર્થ પૂજારીઓનું માનવું છે કે 'હરિહર મિલન' ના દિવસે જ બાબા વૈદ્યનાથ દેવઘર પધાર્યા હતા. આ દરમિયાન અનેક ખાસ વિધિઓ કરવામાં આવે છે. 'હરિહર મિલન' ના પવિત્ર અવસર પર ભગવાન વિષ્ણુ (શ્રી કૃષ્ણ) પોતાના આરાધ્ય ભગવાનને મળવા આવે છે. ત્યારબાદ બંને દેવતાઓ સાથે હોળી રમે છે અને આનંદિત થાઈ જાય છે.

'હરિહર મિલન'નો શું છે પ્રસંગ

બાબા વૈદ્યનાથ મંદિરના તીર્થ પૂજારી પ્રભાકર શાંડિલ્યએ જણાવ્યું કે, 'હરિહર મિલનના દિવસે જ મહાદેવ દેવઘર પધાર્યા હતા. તેની પાછળ રાવણ સાથે જોડાયેલી એક કથા છે. રાવણે ભગવાન શિવને જીદ કરીને લંકા આવવા માટે આગ્રહ કર્યો હતો. શિવ રાવણની ભક્તિથી પ્રસન્ન થયા અને શિવલિંગના રૂપમાં લંકા જવા માટે તૈયાર થયા. શરત એ હતી કે, રાવણ લંકા યાત્રા દરમિયાન શિવલિંગને ક્યાંય નહીં રાખવું. જો તે આવું કરશે, તો ત્યાં જ શિવલિંગ સ્થાપિત થઈ જશે. તેમણે કહ્યું, જ્યારે રાવણ શિવલિંગ લઈને લંકા જઈ રહ્યો હતો, ત્યારે વિષ્ણુજી એક વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં નીચે ઉભા હતા. આ દરમિયાન રાવણને લઘુશંકા લાગી અને તે જમીન પર ઉતર્યો. માતા સતીનું હૃદય વૈદ્યનાથ ધામમાં પડી ગયું હતું. આ જ કારણ હતું કે ભગવાન વિષ્ણુની યોજનાને કારણે રાવણને શિવલિંગ લઈને જમીન પર ઉતરવું પડ્યું.'

'હરિહર મિલન' પર રમાઈ છે હોળી

'રાવણ વચનબદ્ધ હતો કે જો તે શિવલિંગને જમીન પર મૂકશે, તો મહાદેવ ત્યાં જ સ્થાપિત થઈ જશે. ભગવાન વિષ્ણુએ જ રાવણ પાસેથી શિવલિંગ ગ્રહણ કર્યું અને તેને સ્થાપિત કરી દીધું હતું. આ રીતે માતા સતી અને દેવાધિશદેવ મહાદેવનું દેવઘરમાં મિલન થયું. ભગવાન વિષ્ણુ (શ્રી કૃષ્ણના રૂપમાં) 'હરિહર મિલન' પર એ જ શિવલિંગ સાથે હોળી રમે છે જે ભગવાન વિષ્ણુએ સ્વીકાર્યું હતું.'

આ પણ વાંચો: કર્ણાટકમાં ઈઝરાયલી પર્યટક સહિત બે મહિલાઓ પર ગેંગરેપ, 3 મિત્રોને નહેરમાં ફેંક્યા, એકનું મોત

ભગવાન શિવ અને શ્રીકૃષ્ણ રમે છે ગુલાલ

'હરિહર મિલન' અંગે પ્રભાકર શાંડિલ્યએ આગળ જણાવ્યું કે, 'કન્હૈયાજીની મૂર્તિ વર્ષમાં એકવાર બહાર આવે છે. ભગવાન કૃષ્ણ બૈજુ મંદિર પાસે જાય છે અને ઝૂલો ઝૂલે છે. ઝૂલો ઝૂલ્યા બાદ ભગવાન કૃષ્ણ આનંદિત થઈ જાય છે. ભગવાન આનંદિત થઈને પરમાનંદ મહાદેવ પાસે આવે છે. ત્યારબાદ બંને ગુલાલથી રમે છે. આ દિવસે ભગવાનને ભોગ ચઢાવવામાં આવે છે. માલપુઆ ચઢાવવામાં આવે છે. ભક્ત અને બંને દેવતાઓ એકબીજાને ગુલાલ ચઢાવે છે. 'હરિહર મિલન' પછી ભગવાન કૃષ્ણ પોતાના સ્થાન પર પાછા ફરે છે. ગુલાલ એક કુદરતી રંગ છે. આ જ કારણ છે કે ભગવાનને ગુલાલ ચઢાવવામાં આવે છે.

Tags :