Get The App

Brahma Muhurta : બ્રહ્મ મુહૂર્તમાં કરો 3 કામ, કષ્ટ દૂર થશે અને કમાણી પણ બમણી થશે

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
Brahma Muhurta : બ્રહ્મ મુહૂર્તમાં કરો 3 કામ, કષ્ટ દૂર થશે અને કમાણી પણ બમણી થશે 1 - image


Brahma Muhurta: બ્રહ્મ મુહૂર્તમાં જાગવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયે ઉઠીને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ અને પોતાના ઈષ્ટ દેવતાનું ધ્યાન કરવું જોઈએ. જો તમે પૂરો સમય ન ફાળવી શકો, તો ઓછામાં ઓછી 10-15 મિનિટ ઈશ્વરનું ધ્યાન અને મંત્રોનો જાપ કરો. જો તમારી કોઈ મનોકામના હોય તો તેને મંનમાં રાખીને મંત્રોનો જાપ કરો. આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે, ભગવાનના વિશેષ આશીર્વાદ મળી શકે છે અને જીવનના દુ:ખો પણ ઓછા થઈ શકે છે. બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદયના ઠીક પહેલાનું હોય છે, જે લગભગ 4:00 થી 5:30 વાગ્યા સુધી રહે છે. મંત્ર જાપ ઉપરાંત કેટલાક અન્ય ઉપાયો પણ છે જે બ્રહ્મ મુહૂર્તમાં કરવાથી લાભ મળે છે. 

બ્રહ્મ મુહૂર્તમાં કરો સ્નાન 

હિન્દુ ધર્મમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું અત્યંત શુભ અને લાભદાયી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. તે એટલું પુણ્યશાળી માનવામાં આવે છે કે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું એ દૂધમાં સ્નાન કરવા સમાન હોય છે. તે માત્ર શરીરને તાજગી જ નથી આપતું પરંતુ સ્વાસ્થ્ય અને સુખાકારીમાં પણ સુધારો કરે છે. સ્નાન કરવાથી વ્યક્તિમાં નવી ઉર્જાનો સંચાર થાય છે અને માનસિક શાંતિ મળે છે. આ સાથે જ તે વ્યક્તિને બળ, બુદ્ધિ અને માનસિક રીતે પણ મજબૂત બનાવે છે. તેથી દરેક વ્યક્તિએપોતાની દિનચર્યામાં તેને સામેલ કરવું જોઈએ.

આ પણ વાંચો: ઓવરટાઈમ પર બમણું વેતન, મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટ..: નવા લેબર કોડના 10 સૌથી મહત્ત્વપૂર્ણ લાભ

તુલસી પાસે દીવો પ્રગટાવો

હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મંત્ર જાપ અને ઈશ્વરનું ધ્યાન કર્યા બાદ તુલસી પાસે એક દીવો પ્રગટાવવો ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ સાથે જ તુલસીમાં જળ અર્પણ કરવું એ પણ શુભ ફળ આપનારો ઉપાય છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર ક્રિયા કરવાથી ભક્તના અનેક જન્મોના પાપોનો નાશ થાય છે. આ ઉપાય ન માત્ર આધ્યાત્મિક પ્રગતિમાં મદદગાર છે, પરંતુ વ્યક્તિના વ્યક્તિગત અને સામાજિક જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન લાવે છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવે છે. આ સાથે જ કરિયરમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.

બ્રહ્મ મુહૂર્તમાં કરો યોગ સાધના

સવારે 4:00 વાગ્યે ઉઠીને એક શાંત અને સ્વચ્છ જગ્યાએ યોગ અને ધ્યાન કરવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ સમયે વાતાવરણ શાંત અને ઉર્જાવાન હોય છે, જેના કારણે સાધનાની અસર વધુ થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય, બુદ્ધિ અને શક્તિમાં વધારો થાય છે. આ સાથે જ આ ટેવ વ્યક્તિમાં સકારાત્મક ઉર્જા, સુંદરતા અને સફળતા લાવે છે. આ સમયે ઉઠીને યોગ અને ધ્યાન કરવાથી દરેક દિવસ તાજગી, ઉત્સાહ અને સકારાત્મકતા સાથે શરૂ થાય છે. તે જીવનમાં સંતુલન અને શાંતિ જાળવી રાખે છે અને વ્યક્તિ પોતાના વ્યક્તિગત, સામાજિક અને કારકિર્દી જીવનમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે.

Tags :