દિવાળી પૂજામાં ભૂલથી પણ આવા કપડાં ન પહેરશો! જાણો કયા રંગ અને સ્ટાઈલથી બચવું

Diwali 2025: દિવાળીની પૂજા માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ ખૂબ જ શુભ દિવસ છે, તેથી દિવાળીની રાત્રે પૂજા કરવા માટે ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે. તેમાંથી કેટલાક નિયમો તમારા કપડાં પર પણ લાગુ થાય છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે, કેટલાક ખાસ રંગના કપડા દિવાળીની પૂજા પર પહેરવા અશુભ માનવામાં આવે છે અને માતા લક્ષ્મી તેનાથી પ્રસન્ન નથી થતા.
જોકે આજકાલ ફેશનના ચક્કરમાં લોકો પૂજા-પાઠ દરમિયાન પણ પોતાના મનપસંદ કપડાં પહેરે છે. જો તમે પણ તેમાંથી એક છો તો આ સમાચાર તમારા માટે છે.
જો તમે હજુ સુધી એ નક્કી નથી કર્યું કે, તમે દિવાળી પર કયા રંગના અને કઈ સ્ટાઇલના કપડાં પહેરશો તો અમે તમને કેટલાક એવા રંગ અને કપડાં જણાવવા જઈ રહ્યા છીએ જેને દિવાળીની પૂજામાં ન પહેરવા જોઈએ.
આ પણ વાંચો: અસુર-દૈત્યોના ઘરે પણ લક્ષ્મી માતા ગયા હતા પણ... ક્યાંક તમે પણ આવી ભૂલ તો નથી કરતા ને!
એવું માનવામાં આવે છે કે, દિવાળીની પૂજાના દિવસે તમે જે કપડાં પહેરો છો તેનું ખૂબ મહત્વ હોય છે, આવી સ્થિતિમાં તેની સ્ટાઈલ અને રંગની પસંદગી સમજી વિચારીને કરવી જોઈએ. તો ચાલો જાણીએ કે, તમારે દિવાળીના દિવસે કયા પ્રકારના કપડાં ન પહેરવા જોઈએ.
ફાટેલા કપડાં ન પહેરવા
તમે બાળપણથી વડીલોના મોઢે એ સાંભળ્યું હશે કે, દિવાળી પર હંમેશા નવા કપડાં પહેરવા જોઈએ. જોકે બધા લોકો દર વર્ષે નવા કપડાં નથી ખરીદી શકતા, તેથી જુના કપડાં પણ પહેરી શકાય છે.
જુના કપડાં પહેરતી વખતે માત્ર એ બાબતનું ધ્યાન રાખવું કે, આ કપડા સ્વચ્છ અને ક્યાંય ફાટેલા ન હોવા જોઈએ. એવું માનવામાં આવે છે કે, ફાટેલા કપડાં ગરીબીનો સંકેત હોય છે અને તેને પહેરવું અશુભ માનવામાં આવે છે.
કાળા રંગના કપડા ન પહેરવા
એવું માનવામાં આવે છે કે, કાળો રંગ અશુભ છે તેથી દિવાળીની પૂજા કરતી વખતે કાળા કપડાં ન પહેરવા જોઈએ. આ સાથે જ એ પ્રયાસ કરો કે, તમારા કપડાંની ડિઝાઈન પણ કાળા રંગની ન હોવી જોઈએ.
ગંદા કપડાં ન પહેરો
દિવાળીની પૂજા કરતી વખતે ક્યારેય ગંદા અથવા ઉપયોગમાં લેવાયેલા કપડાં ન પહેરવા જોઈએ. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને ખુશ કરવા માટે હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.