Astro

તમને ખબર છે કે ભારત સિવાય કયા કયા દેશોમાં રાવણ દહન થાય છે.... જોઈ લો યાદી

By GS TEAM
2 Oct 20253 mins read
TukuTouch Logo
દશેરા અથવા વિજયાદશમીને ભારતમાં અધર્મ પર ધર્મની જીત તરીકે ઉજવવામાં આવે છે. રાવણ દહન, રામલીલા અને મેળા આ તહેવારનો અભિન્ન ભાગ છે. પરંતુ, રસપ્રદ વાત એ છે કે, આ તહેવાર માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી. નેપાળ, મોરેશિયસ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ દશેરાની ઉજવણી કરવામાં આવે છે. અહીં રામાયણની વાર્તાઓ ભજવવામાં આવે છે, અને રાવણ દહન જોવા માટે મોટી ભીડ એકઠી થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તમને ખબર છે કે ભારત સિવાય કયા કયા દેશોમાં રાવણ દહન થાય છે.... જોઈ લો યાદી

Dussehra 2025: દશેરા અથવા વિજયાદશમીને ભારતમાં અધર્મ પર ધર્મની જીત તરીકે ઉજવવામાં આવે છે. રાવણ દહન, રામલીલા અને મેળા આ તહેવારનો અભિન્ન ભાગ છે. પરંતુ, રસપ્રદ વાત એ છે કે, આ તહેવાર માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી. નેપાળ, મોરેશિયસ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ દશેરાની ઉજવણી કરવામાં આવે છે. અહીં રામાયણની વાર્તાઓ ભજવવામાં આવે છે, અને રાવણ દહન જોવા માટે મોટી ભીડ એકઠી થાય છે.

આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 22 થી 28 સપ્ટેમ્બર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે

આ વર્ષે દશેરા 2 ઑક્ટોબરે મનાવવામાં આવશે. જો તમને તહેવારોની સાથે નવા સ્થળોની શોધખોળ કરવાનો શોખ હોય, તો એવા દેશોની યાત્રા જ્યાં દશેરા હજુ પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે તે એક યાદગાર અનુભવ સાબિત થઈ શકે છે. ભારતીય સંસ્કૃતિની ઝલકથી ભરેલા આ તહેવારો માત્ર ધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ નથી પણ સાંસ્કૃતિક અને પર્યટનના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ આકર્ષક છે.

1. શ્રીલંકા

રાવણની ભૂમિ શ્રીલંકા, રામાયણની ઘટનાઓનું કેન્દ્ર રહ્યું છે. દશેરાને અહીં વિશેષ રુપે યાદ કરવામાં આવે છે. જોકે અહીં રાવણને રાજા તરીકે જોવામાં આવે છે, તેમ છતાં ઘણી જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે. આ દર્શાવે છે કે રામાયણની કથા અહીંની સંસ્કૃતિમાં કેટલી ઊંડી રીતે જોડાયેલી છે.

2. મોરેશિયસ

મોરેશિયસમાં ભારતીય મૂળના લોકોની મોટી વસ્તી છે, જેમણે પોતાની સંસ્કૃતિને જીવંત રાખી છે. અહીં દશેરા એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. એટલું જ નહી રામલીલાનું આયોજન કરવામાં આવે છે, અને રાવણના પૂતળાનું દહન અનિષ્ટ પર વિજયની ઉજવણી કરે છે. આ ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે, જે મોરેશિયસમાં પણ એટલી જ જીવંત છે.

3. ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ હોવા છતાં, રામાયણ અને મહાભારતનો અહીં ઊંડો પ્રભાવ છે. રામાયણની વાર્તાઓ તેમની પ્રાચીન સંસ્કૃતિમાં ખાસ સ્થાન ધરાવે છે. જેના કારણે દશેરા પર, રામાયણના દૃશ્યો ભજવવામાં આવે છે અને રાવણના વધનું નાટક ભજવવામાં આવે છે, જે સંદેશ આપે છે કે અધર્મ પર હંમેશા ધર્મનો વિજય થાય છે. અહીં રાવણના પૂતળાનું દહન પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ઓકટોબરમાં 6 ગ્રહોનું ગોચર; ધન-કુંભ સહિત આ રાશિના જાતકો માટે ધનલાભના યોગ, દાંપત્ય જીવનમાં ખુશાલી આવશે

4. નેપાળ

નેપાળમાં દશેરાને 'દશૈન' કહેવામાં આવે છે અને તેને ત્યાંનો સૌથી મોટો અને સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. તેની મુખ્ય ખાસિયત એ છે કે, અહીં 15 દિવસ સુધી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં દેવી દુર્ગાને સમર્પિત વિશેષ પૂજા અને પ્રાર્થનાઓ કરવામાં આવે છે. તે માત્ર એક ધાર્મિક તહેવાર નથી પણ પરિવારના પુનઃમિલનનો પ્રસંગ પણ છે. લોકો એકબીજાને મળે છે, ભેટો અને આશીર્વાદની આપ-લે કરે છે. આ સમય દરમિયાન, સમગ્ર દેશ ઉત્સવપૂર્ણ વાતાવરણથી ભરેલો હોય છે, શહેરોથી ગામડાઓ સુધી ભવ્ય મેળાઓ અને જીવંત કાર્યક્રમો યોજાય છે.

5. ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા જેવા દૂરના દેશોમાં પણ દશેરા અને દુર્ગા પૂજા ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે. હિન્દુ સમુદાયના સભ્યો રાત્રિની પ્રાર્થના અને રામલીલાના કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. એટલું જ નહીં પૂજારીઓને ખાસ પૂજા માટે ઘરોમાં આમંત્રિત કરવામાં આવે છે, જે દર્શાવે છે કે વિદેશમાં પણ ભારતીય પરંપરાઓ ખૂબ જ ભક્તિભાવથી મનાવવામાં આવે છે.