Get The App

નવતપાના છેલ્લા દિવસે ગુરુ ગોચર, ચાર રાશિઓ પર પડશે ભયંકર અશુભ પ્રભાવ

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
નવતપાના છેલ્લા દિવસે ગુરુ ગોચર, ચાર રાશિઓ પર પડશે ભયંકર અશુભ પ્રભાવ 1 - image

Guru Gochar 2026:  25 મેથી લઈને 2 જૂન સુધી નવતપા શરૂ થયું છે. સંજોગોવશાત નવતપાના અંતિમ દિવસે બૃહસ્પતિ નો કર્ક રાશિમાં પ્રવેશ પણ થવાનો છે. ગુરુ પૂરા 12 વર્ષ પછી કર્ક રાશિમાં આવી રહ્યા છે. જ્યોતિષાચાર્યો મુજબ ગુરુનું આ ગોચર ચાર રાશિઓ માટે પ્રતિકૂળ દેખાઈ રહ્યું છે. એટલે કે નવતપામાં જ્યારે ગુરુ કર્ક રાશિમાં જશે તો ચાર રાશિઓ પર તેનો અશુભ પ્રભાવ દેખાઈ શકે છે. સ્વાસ્થ્યથી લઈને આર્થિક તંગી સુધીનો અણધારી તકલીફો આવી શકે છે.

વૃષભ રાશિ

નવતપામાં ગુરુના રાશિ પરિવર્તન બાદ વૃષભ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું પડશે. પેટની ગરબડ, થાઈરોઈડ, ડાયાબિટીસને લઈને તમને મુશ્કેલીઓ થઈ શકે છે. સંબંધો, રોજગાર અને સ્વાસ્થ્ય આ ત્રણેય બાબતો ખૂબ સારી દેખાઈ રહી નથી. તમારે કરિયરમાં પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધનની ખૂબ મુશ્કેલીથી બચત થશે.

મિથુન રાશિ

મિથુન વાળા માટે આ સમય કઠિન હશે. આર્થિક સમસ્યા તમને પરેશાન કરી શકે છે. પૈસા-રૂપિયાની મુશ્કેલીઓ તમને ઝંઝટમાં નાખી શકે છે. શત્રુઓ અને વિરોધીઓથી તમને ખતરો રહેશે. ખાસ કરીને કાર્યસ્થળ પર તમારા જે વિરોધીઓ છે, તેમનાથી સાવધાની રાખો. આ સમયે વાહન અકસ્માતથી પણ સાવધાનીપૂર્વક સંભાળીને રહેવું પડશે, કારણ કે અકસ્માત જેવા યોગ બનતા દેખાઈ રહ્યા છે.

સિંહ રાશિ

ગુરુ ગોચર બાદ સિંહ રાશિ વાળાએ પણ ખૂબ સાવધાની રાખવી પડશે. આ દરમિયાન તમને બદનામી મળવાનો ડર રહેશે. પોતાના મનની વાતો કે કોઈ મોટું રહસ્ય કોઈની સાથે શેર ન કરો. એવું કરશો તો પાછળથી ખૂબ પસ્તાવું પડશે. કોઈ એવું કામ ન કરો જેનાથી કોર્ટ-કચેરી કે વિવાદ થાય અને બિનજરૂરી તણાવનો સામનો કરવો પડે. ઝઘડા-વિવાદથી દૂર રહો તો વધુ સારું રહેશે.

આ પણ વાંચો: ભદ્ર રાજયોગ 2026: 29 મેથી ચમકશે આ 4 ભાગ્યશાળી રાશિઓનું નસીબ, બુધનું ગોચર કરાવશે અઢળક ધનલાભ અને પ્રગતિ!

કુંભ રાશિ

કુંભ રાશિ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન તમારી ચિંતાઓ વધારી શકે છે. તમે ખૂબ વધારે અસુરક્ષિત અનુભવ કરશો. તમામ પ્રકારની ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે. સંબંધોમાં સમસ્યા આવી શકે છે. ખાસ કરીને મૈત્રીપૂર્ણ સંબંધો અને વ્યાવસાયિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે. ખૂબ સતર્ક રહો. કોઈ ખોટો નિર્ણય લઈને પોતાનું કામ બગાડો નહીં. એકદમથી જોશમાં આવીને ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાથી બચો.