Astro

અનંત ચતુર્દશી 2025: આવતી કાલે વાજતે-ગાજતે ગણપતિ બાપ્પાનું વિસર્જન, જાણો શુભ મુહૂર્ત અને વિધિ

By GS TEAM
5 Sep 20252 mins read
TukuTouch Logo
ભાદરવા સુદ ચોથ એટલે કે 27 ઑગસ્ટ, બુધવારના રોજ ગણેશ ચતુર્થીએ ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. દેશભરમાં ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરી દસ દિવસ સુધી તેમની ભક્તિભાવ સાથે સેવા અને પૂજા કરે છે. હવે આવતી કાલે 6 સપ્ટેમ્બર, શનિવારના રોજ અનંત ચતુર્દશીએ ગણેશજીને વિધિવિધાનપૂર્વક વિસર્જિત કરવામાં આવશે. ત્યારે જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ વિસર્જન પહેલા કેવી રીતે ગણેશજીની પૂજા અર્ચના કરવી અને વિસર્જન માટેના ક્યા કયા કેટલાક મુહૂર્ત છે આવો તે જાણીએ.

Summarized by AI; it may make mistakes. Check important info

અનંત ચતુર્દશી 2025:  આવતી કાલે વાજતે-ગાજતે ગણપતિ બાપ્પાનું વિસર્જન, જાણો શુભ મુહૂર્ત અને વિધિ

Ganesh Visharjan 2025: ભાદરવા સુદ ચોથ એટલે કે 27 ઑગસ્ટ, બુધવારના રોજ ગણેશ ચતુર્થીએ ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. દેશભરમાં ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરી દસ દિવસ સુધી તેમની ભક્તિભાવ સાથે સેવા અને પૂજા કરે છે. હવે આવતી કાલે 6 સપ્ટેમ્બર, શનિવારના રોજ અનંત ચતુર્દશીએ ગણેશજીને વિધિવિધાનપૂર્વક વિસર્જિત કરવામાં આવશે. ત્યારે જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ વિસર્જન પહેલા કેવી રીતે ગણેશજીની પૂજા અર્ચના કરવી અને વિસર્જન માટેના ક્યા કયા કેટલાક મુહૂર્ત છે આવો તે જાણીએ.

આ પણ વાંચો: Anant Chaturdashi 2025: અનંત ચતુર્દશી પર કરો આ ચમત્કારિક ઉપાયો, દરેક સમસ્યામાંથી મળશે છૂટકારો

ગણેશજી બુદ્ધિ, સમૃદ્ધિ અને વિવેકના દેવતા છે અને કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, ગણેશજીની પૂજા અર્ચના કરવાથી તમામ વિઘ્ન અને બાધાઓ દૂર થાય છે અને કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે

ગણેશ વિસર્જનની વિધિ

અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે ગણેશજી હવે પાછા તેમના ધામમાં જઈ રહ્યા છે.

પૂજા અને આરતી: વિસર્જન પહેલાં ફરી એકવાર ગણેશજીની આરતી કરવી અને તેમને મોદકનો ભોગ ધરાવવો.

પ્રાર્થના: મૂર્તિને સન્માનપૂર્વક ઉઠાવતા પહેલાં ગણેશજીની ક્ષમા માંગવી અને તેમને પ્રાર્થના કરવી કે તેઓ આગલા વર્ષે ફરી પધારે.

વિસર્જન: ગણેશજીની મૂર્તિને પવિત્ર નદી, તળાવ અથવા પાણીના સ્ત્રોતમાં વિસર્જિત કરવી. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.


આ પણ વાંચો: 7 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ: પિતૃદોષ દૂર કરવા જરૂર કરો આ ઉપાય

ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત (6 સપ્ટેમ્બર):

સવારે 07:58થી 09:30

બપોરે 12:40થી 05:15

સાંજે  06:55થી 08:25

ગણેશોત્સવ એ ભક્તિ, આનંદ અને સકારાત્મકતાનો પર્વ છે, જે સમગ્ર સમાજમાં ઉત્સાહ ભરી દે છે.