ચૈત્રી નવરાત્રિની આઠમે બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોને ધનલાભના યોગ
Image: Freepik
Chaitra Navratri 2025: 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે અને સમાપન 6 એપ્રિલ, મહાનવમીના દિવસે થશે. ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમી આ વખતે 5 એપ્રિલ, શનિવારે મનાવવામાં આવશે. આ દિવસે માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર આ વખતે મહાઅષ્ટમી ખૂબ જ ખાસ મનાય છે કારણ કે, આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, ભદ્રવાસ યોગ અને સુકર્મા યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ તમામ યોગના કારણે અમુક રાશિઓને લાભ થવાના પૂરેપૂરા સંયોગ છે.
મેષ
મેષ રાશિના જાતકો માટે મહાઅષ્ટમીનો દિવસ અત્યંત શુભ રહેશે. આ ખાસ સંયોગના કારણે તેમને સુખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વેપારથી જોડાયેલા લોકો માટે આ સમય પ્રગતિ અને સફળતા લઈને આવશે.
આ પણ વાંચો: પર્સમાં રાખો 5 વસ્તુઓ, પૈસાથી હંમેશા છલકાયેલું રહેશે! મા લક્ષ્મીની રહેશે અસીમ કૃપા
કર્ક
કર્ક રાશિના જાતકોને ઉત્તમ નોકરી મળવાની શક્યતા છે. કાર્યસ્થળ પર તેમને સન્માન અને ઉચ્ચ પદ પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે. આ શુભ યોગના પ્રભાવથી પારિવારિક જીવનમાં સામંજસ્ય અને શાંતિ રહેશે, સાથે જ સહકર્મચારીઓનો પૂરો સહયોગ મળશે.
કન્યા
બિઝનેસથી જોડાયેલા લોકોને પોતાના કામના કારણે મુસાફરી કરવી પડી શકે છે જે તેમના વેપાર માટે લાભદાયી સાબિત થશે. કુલ મળીને આ સમય વેપારીઓ માટે ખૂબ અનુકૂળ રહેશે. તેમને રોકાણની નવી તક પણ પ્રાપ્ત થશે.
મીન
મીન રાશિના જાતકોને અત્યારે સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા મળશે. વેપારીઓ માટે આ સમય આર્થિક લાભ લઈને આવશે. નોકરિયાત લોકો માટે આ શુભ યોગ કોઈ વરદાનથી ઓછો નથી. માતા રાનીની કૃપાથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.