Get The App

કર્ક-કન્યા સહિત આ 5 રાશિના જાતકો પર થશે ધનવર્ષા, પુનર્વસુ નક્ષત્રમાં શુક્રનું ગોચર નોકરી-વેપારમાં અપાવશે સફળતા

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
કર્ક-કન્યા સહિત આ 5 રાશિના જાતકો પર થશે ધનવર્ષા, પુનર્વસુ નક્ષત્રમાં શુક્રનું ગોચર નોકરી-વેપારમાં અપાવશે સફળતા 1 - image


Shukra Nakshatra Gochar 2025: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના નક્ષત્ર પરિવર્તનનું વિશેષ મહત્ત્વ રહેલું છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ કોઈ શુભ ગ્રહ નક્ષત્ર ગોચર કરે છે, તો તેની અસર રાશિચક્રની તમામ રાશિઓ અને દેશ દુનિયા પર જોવા મળે છે.  

વૃષભ રાશિ

નક્ષત્ર પરિવર્તન દરમિયાન શુક્ર દેવ વૃષભ રાશિના જાતકો પર ખૂબ કૃપા કરશે. શુક્રના નક્ષત્ર પરિવર્તનનો સમયગાળામાં આ રાશિના લોકોનો પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. નોકરી કરતાં લોકો તેમજ વ્યાપાર સાથે જોડાયેલા લોકોને તેનો ભરપૂર લાભ મળી શકશે. દાંપત્યજીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. 

આ પણ વાંચો: રક્ષાબંધન 2025: ભાઈની રાશિ અનુસાર પસંદ કરો રાખંડીનો રંગ, ખૂલી જશે ભાગ્યના દ્વાર

મિથુન રાશિ 

12 ઑગસ્ટના રોજ થનારું શુક્રનું નક્ષત્ર ગોચર મિથુન રાશિના લોકો માટે લાભકારી છે. આ નક્ષત્ર પરિવર્તનના સમયગાળામાં રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. નોકરી કરતાં લોકોને તેમના કાર્યોમાં ખૂબ જ પ્રગતિ થશે. આ સમય દરમિયાન પરિણીત લોકોના સંબંધોમાં સુધારો જોવા મળશે. વ્યવસાયમાં આર્થિક પ્રગતિના સંકેતો છે.

કર્ક રાશિ 

શુક્રનું પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કર્ક રાશિના જાતકો માટે અત્યંત અનુકૂળ અને લાભકારી રહેશે. શુક્રના આ નક્ષત્ર ગોચર દરમિયાન આ રાશિના જાતકોને આર્થિક લાભ સંબંધોમાં સુધારો અને વ્યાપારીવર્ગને ખૂબ જ સારો આર્થિક લાભ જોવા મળશે. આ ઉપરાંત નોકરીની શોધ કરતાં લોકોને મોટી તક મળશે. 

કન્યા રાશિ

જ્યોતિષશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન કન્યા રાશિના લોકો માટે મંગળકારી અને લાભકારી રહેશે. આ નક્ષત્ર ગોચર દરમિયાન સંપત્તિમાં વૃદ્ધિ જોવા મળશે. આ સાથે જ વ્યાપારમાં વૃદ્ધિ થવાથી સફળતા મળશે. પરિણીત લોકોના સંબંધોમાં મધુરતા જોવા મળે. આ સમય દરમિયાન લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. નોકરીમાં ઉન્નતિના યોગ જોવા મળી રહ્યા છે. વ્યાપારમાં નવા નવા રસ્તા ખુલી શકે છે.

આ પણ વાંચો: રક્ષાબંધન 2025: બહેનને ભૂલથી પણ ન આપવી જોઈએ આવી ગિફ્ટ, ખરાબ પ્રભાવ પડતો હોવાની છે માન્યતા

મકર રાશિ

ધન ઐશ્વર્યના કારક શુક્ર પુનર્વાસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે, ત્યારે મકર રાશિના જાતકો માટે સારા દિવસો શરુ થશે. શુક્રનું આ ગોચર મકર રાશિ માટે અનુકૂળ હોવાથી, આ સમયગાળા દરમિયાન કારકિર્દી અને વ્યવસાયમાં જોરદાર પ્રગતિ જોવા મળી શકે છે. નાણાકીય પરિસ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બની શકે છે. લગ્નજીવનમાં ખુશીહાલી રહેશે. રોકાણથી નાણાકીય આર્થિક થવાના સંકેતો છે.


Tags :