Get The App

બાબરા: ખેડુતે દેણાના બોજથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Updated: Jul 30th, 2020

GS TEAM

Google News
Google News
બાબરા: ખેડુતે દેણાના બોજથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું 1 - image

બાબરા, તા. 30 જુલાઈ 2020, ગુરુવાર

બાબરા તાલુકાના પાનસડા ગામના ખેડૂતે આર્થિક દેણું વધી જતા કંટાળી પોતાની વાડીના ફરઝાના આડસર સાથે દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ જીવનનો અંત લાવતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. પાનસડા રહેતા અને ખેતીકામથી ગુજરાન ચલાવતા ખેડૂત અમૃતભાઈ રાઘવભાઈ બોદર ઉ.વ.50ને આશરે રૂ. આઠ લાખ જેટલું દેણું થઈ ગયું હતું.

જેને ભરપાઈ કરવા તે આર્થિક રીતે સક્ષમ નહોતા. એ કારણે કંટાળી મનમાં લાગી આવતાં પોતાની વાડીના ફરઝાવાળા મકાનમાં લાકડાની આડી સાથે દોરડું બાંધી પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ વિશે તેના પુત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ખેડૂત પરિવારમાં ભારે શોક પ્રસરી ગયો હતો.

Tags :