બપોરના સમયે 5 મિનિટમાં બે વખત ગોહિલવાડની ધરા ધુ્રજી
Updated: May 9th, 2024
- તલાલાથી 12 અને 13 કિ.મી. દૂર એપી સેન્ટર
- ભૂકંપના બન્ને હલવા આંચકાની શહેરમાં અનુભૂતિ નહીં : દરિયાઈ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં અસર
આજે બપોરનાં ૩.૧૪ અને ૩.૧૮ કલાકે ભૂકંપના બે હળવાં આંચકા નોંધાયા હતા. ઈન્ડીયન સિસ્મોલોજીકલ રિસર્ચની વેબસાઈટ પર આ બન્ને આંચકાની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી હતી. ઈન્ડીયન સિસ્મોલોજીકલ રિસર્ચે આ ઘટનાની પુષ્ટી કરતાં ભૂકંપના બન્ને આંચકાની તિવ્રતા અનુક્રમે ૩.૦ અને ૩.૪ હોવાનું અને એપી સેન્ટર તળાળા નજીક અનુક્રમે ૧૨ કિ.મી. અને ૧૩ કિ.મી. નોંધાયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે, બન્ને ભૂકંપની જમીનમાં ઉંડાઈ અનુક્રમે ૬.૩ કિ.મી અને ૭.૨ કિ.મી. નોંધાઈ હતી. ભાવનગર શહેરની સરખામણીએ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આ બન્ને હળવા આંચકાની અનુભૂતિ થઈ હોવાના પ્રાથમિક અહેવાલો છે. જો કે, શહેર કક્ષાએ ભૂકંપના આંચકાની વિશેષ કોઈને અનુભૂતિ થઈ ન હોવાનું જાણવા મળેલ છે. આ બન્ને આંચકાના કારણે ગોહિલવાડ પંથકમાં જાન-માલને નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.