For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેઠી- રાયબરેલીમાંથી કોણ હશે કોંગ્રેસ ઉમેદવાર? જયરામ રમેશે આ દિગ્ગજ નેતાઓ તરફ કર્યો ઈશારો

Updated: Apr 16th, 2024

અમેઠી- રાયબરેલીમાંથી કોણ હશે કોંગ્રેસ ઉમેદવાર? જયરામ રમેશે આ દિગ્ગજ નેતાઓ તરફ કર્યો ઈશારો

Image Source: Twitter

Jairam Ramesh: કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે સતત ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ પણ કેટલીક બેઠકો પરથી ઉમેદવારો જાહેર કરવામાં નથી આવ્યા. એવી જ બે બેઠકો રાયબરેલી અને અમેઠી છે. ઉત્તર પ્રદેશની આ બે બેઠકોને એક સમયે ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવતો હતો. જોકે, 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી બીજેપીને જીત મળી હતી અને કોંગ્રેસની હાર થઈ હતી. આ બેઠક પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. 

રાહુલ ગાંધીએ 2019માં વાયનાડથી ચૂંટણી લડી હતી જ્યાંથી તેમને જીત મળી હતી. બીજી તરફ રાયબરેલીથી સોનિયા ગાંધીને જીત મળી હતી પરંતુ હવે તેઓ રાજ્યસભા સભ્ય છે. આ સ્થિતિમાં હવે બંને જ બેઠકો ગાંધી પરિવારના હાથમાં નથી રહી. આ જ કારણ છે કે, હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે, આ વખતે બંને બેઠકો પરથી કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે. અમેઠી-રાયબરેલી બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવા અંગે કોંગ્રેસના મહા સચિવ જયરામ રમેશને સવાલ કરતા તેમણે અમુક દિગ્ગજ નેતાઓ તરફ ઈશારો કર્યો હતો. 

અમેઠી-રાયબરેલી બેઠક પરથી કોણ હશે ઉમેદવાર?

જયરામ રમેશને પૂછવામાં આવ્યું કે ‘અમેઠી-રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે?’ તેના જવાબમાં તેમણે કહ્યું કે ‘રાહુલ ગાંધીએ કહ્યું તેમ ઉમેદવારો અંગે આખરી નિર્ણય કોંગ્રેસ ચૂંટણી સમિતિ (CEC) કરશે. અમે ઈચ્છીએ છીએ કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમેઠી-રાયબરેલીથી ચૂંટણી લડે. કોંગ્રેસ સંગઠન પણ એવું જ ઈચ્છે છે. અમને આશા છે કે તે અહીંથી ચૂંટણી લડશે.’ જો કે રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી પણ નોંધાવી દીધી છે.

કોંગ્રેસ નેતાએ એક સરવેમાં પાર્ટીને મળી રહેલી કારમી હાર અંગે તેમણે કહ્યું કે, ‘આ પ્રકારના સરવે હકીકતથી દૂર હોય છે. દેશમાં પરિવર્તનની હવા છે કારણ કે, બંધારણ જોખમમાં છે. કોંગ્રેસ અને I.N.D.I.A ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળશે. વડાપ્રધાન મોદીનું 400 પારનું સૂત્ર બંધારણ બદલવા માટે છે. પીએમ મોદી મોટી મોટી વાતો કરે છે પરંતુ યુવા રોજગાર અને ખેડૂત એમએસપીના સવાલ ઉઠી રહ્યા છે. લોકો દસ વર્ષના અન્યાયકાળથી પરેશાન થઈ ગયા છે.’

Gujarat