પિયરમાંથી પત્ની પોતાની જોડે પરત ન આવતા કેશિયર પતિએ ઉઠાવ્યુ ભયાનક પગલુ
Updated: Apr 26th, 2024
Bihar Suicide: બિહારના સુપૌલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બિહારના એક વ્યક્તિ તેની પત્નીને લાવવા તેના પિયર પહોંચ્યો હતો. જોકે પત્નીએ સાથે આવવાની ના પાડી હતી. આના પર વ્યવસાયે બેંક કેશિયરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મામલો સુપૌલના કિશનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તુલાપટ્ટી વોર્ડ નંબર એકનો છે.
શું છે સમગ્ર ઘટના?
આ ઘટના 25 એપ્રિલના રોજ બની હતી. બિહારના 30 વર્ષીય ચંદન યાદવની પત્ની સાથે સાસરે ના આવતા આત્મહત્યા કરી લીધી. ચંદન યાદવે રાત્રે લગભગ 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં ફાંસી લગાવી લીધી હતી. તેના પિતરાઈ ભાઈ સુદીપે જણાવ્યું કે, ચંદનના લગ્ન 2020માં મહેશપુર ગામની એક યુવતી સાથે થયા હતા. તેમને બે વર્ષનો પુત્ર પણ છે. તેની પત્ની કાજલ તેના મામાના ઘરે હતી. ગુરુવારે સાંજે તેને લાવવા ગયો ત્યારે કાજલે તેના સાસરે આવવાની ના પાડી. આ અંગેના વિવાદમાં ચંદને આ પગલું ભર્યું છે.
ચંદન બેંક ઓફ બરોડામાં કેશિયર
આ ઘટનાની માહિતી શુક્રવારે સવારે કિશનપુર પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. કિશનપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રશાંત કુમાર રાયે જણાવ્યું કે, યુવક સીતામઢીમાં બેંક ઓફ બરોડાનો કેશિયર હતો. રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.