For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇચ્છામૃત્યુ: પેરુ કેસ બાદ ચર્ચામાં ઇચ્છામૃત્યુ, જાણો આ અંગે ભારતનો કાયદો

Updated: Apr 26th, 2024

ઇચ્છામૃત્યુ: પેરુ કેસ બાદ ચર્ચામાં ઇચ્છામૃત્યુ, જાણો આ અંગે ભારતનો કાયદોImage:Freepik 

Euthanasia: ઈચ્છામૃત્યુનો અર્થ છે વ્યક્તિને તેની ઈચ્છા મુજબ મૃત્યુ આપવુ. ઈચ્છામૃત્યુ આવા કિસ્સાઓમાં આપવામાં આવે છે જ્યારે વ્યક્તિ કોઈ અસાધ્ય રોગથી પીડિત હોય જેમાં તેને જીવિત રહેવા માટે દુખ સહન કરવું પડતુ હોય. આવા દર્દી અથવા તેના પરિવારના સભ્યો ઈચ્છામૃત્યુની અપીલ કરી શકે છે. જેના માટે લેખિત અરજી આપવાની હોય છે. 

દક્ષિણ અમેરિકાના પેરુમાં 47 વર્ષીય એના એસ્ટર્ડા ઈચ્છામૃત્યુની પરવાનગી મેળવનાર પ્રથમ વ્યક્તિ બની છે. અના 3 દાયકાથી સ્નાયુ સંબંધિત બિમારી પોલિમાયોસાઇટિસથી પીડિત છે. જે એક એવો રોગ છે, જે સીધા સ્નાયુઓને નબળા બનાવે છે અને તેમાં સોજો આવે છે. જેના કારણે દર્દીને ચાલવું પણ મુશ્કેલ બની જાય છે.

ફેબ્રુઆરી 2021માં, બાનાને દેશની એક અદાલત દ્વારા આરોગ્ય અધિકારીઓ અને તબીબી પ્રક્રિયાઓની મદદથી ઈચ્છામૃત્યુ આપવામાં આવ્યું હતું. જે બાદ સુપ્રીમ કોર્ટે જુલાઈ 2022માં આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ મામલા બાદ ઈચ્છામૃત્યુ ફરી એકવાર ચર્ચામા આવ્યુ છે. તો જાણીએ કે ભારતમાં ઈચ્છામૃત્યુનો કાયદો શું છે.

ઈચ્છામૃત્યુ શું છે અને તે કેવી રીતે આપવામાં આવે છે?

ઇચ્છામૃત્યુ બે રીતે આપવામાં આવે છે, પ્રથમ છે સક્રિય ઈચ્છામૃત્યુ, તેને સક્રિય ઈચ્છામૃત્યુ પણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં, ડૉક્ટરો વ્યક્તિને ઝેરી દવા અથવા ઇન્જેક્શન આપે છે જેથી તે સરળતાથી મરી જાય.

આ સિવાય તેના બીજા પ્રકારને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં, ડૉક્ટરો દ્વારા દર્દીની સારવાર બંધ કરવામાં આવે છે અને તેને વેન્ટિલેટરથી દૂર કરવામાં આવે છે. તેની દવાઓ પણ બંધ કરી દેવામાં આવે છે.

ઈચ્છામૃત્યુ અંગે ભારતનો કાયદો શું છે?

ભારતમાં આ માટે કોઈ ખાસ કાયદો નથી. 2018માં સુપ્રીમ કોર્ટે એક કેસમાં ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. જેની સાથે એક માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે, ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ વ્યક્તિને જીવવાની સાથે મરવાનો અધિકાર છે. 

આ કેસમાં કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સરકારે આવા કેસ માટે કાયદો બનાવવાની જરૂર છે જેથી કરીને ગંભીર રોગોથી પીડિત દર્દીઓ પોતાની મરજીથી શાંતિથી મૃત્યુ પામે. ભારતમાં ઈચ્છામૃત્યુને આત્મહત્યાનો પ્રયાસ માનવામાં આવે છે. કાયદા હેઠળ, જો કોઈ વ્યક્તિ આત્મહત્યાનો પ્રયાસ કરે છે, તો તેને એક વર્ષની જેલ અથવા દંડ અથવા બંને સજા થઈ શકે છે.

કયા દેશોમાં ઈચ્છા મૃત્યુને મંજૂરી છે ?

સ્વિટ્ઝર્લેન્ડમાં ઈચ્છામૃત્યુની પણ મંજૂરી છે પરંતુ તે માત્ર ડૉક્ટરની હાજરીમાં જ થઈ શકે છે. યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટન તેને ગેરકાયદે માને છે. નેધરલેન્ડ, લક્ઝમબર્ગ અને બેલ્જિયમમાં ઈચ્છામૃત્યુની (Euthanasia) મંજૂરી છે. વોશિંગ્ટન, ઓરેગોન અને મોન્ટાના જેવા રાજ્યોમાં ઈચ્છામૃત્યુની મંજૂરી છે, જ્યારે અન્ય ઘણા રાજ્યોમાં નથી.

Gujarat