For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતના 7 IAS અધિકારીઓ દેશના અલગ-અલગ રાજ્યોમાં ચૂંટણી નિરીક્ષક તરીકેની જવાબદારી સંભાળશે

લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં |સુધી આ ચાર્જ વ્યવસ્થા અમલી રહેશે

Updated: Mar 28th, 2024

Article Content Image

Lok Sabha Elections 2024: ગુજરાતના સાત IAS અધિકારીની ભારત સરકારના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ચૂંટણી નિરીક્ષક તરીકે અલગ અલગ રાજ્યોમાં નિમણૂક કરવામાં આવી છે. જેથી તેમની ફરજની જગ્યા ખાલી પડી હોવાથી રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે સચિવાલયમાં અન્ય ફરજ બજાવતા અધિકારીઓને જે તે જગ્યાના વધારાના હવાલા આપ્યા છે. આ ચાર્જ વ્યવસ્થા લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના ૩૫થી વધુ આઈએએસ અને આઈપીએસને ચૂંટણી નિરીક્ષક તરીકે અન્ય રાજ્યોમાં ચૂંટણી ફરજ સોંપવામાં આવનાર છે.

અધિકારીનું નામ-હોદ્દોચાર્જ વ્યવસ્થા
વિનોદ રાવ, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સચિવમુકેશ કુમાર
ડો. ધવલ પટેલ, કમિશનર-ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજઆરબી બારડ
ડો. ધવલ પટેલ, કમિશનર, સિવિલ એવિયેશન (ચાર્જ)અજય પ્રકાશ
વિશાલ ગુપ્તા, અધિક ગ્રામ વિકાસ કમિશનરસુજલ મયાત્રા
ગૌરાંગ મકવાણા, એમડી, ઈન્ડેક્ષ્ટ-બીડો. પ્રશાંત જિલોવા
સંદિપ સાંગલે, ઉદ્યોગ કમિશનર, MD, GRIDEએસ છાકછૂઆક
એનકે મીના, મત્સ્યોદ્યોગ નિયામક, એમડી, GIDCકેએલ બચાણી
સુપ્રીતસિંહ ગુલાટી, CEO, D-SAG, ધોલેરા સરબંછા નિધિ પાની

Article Content Image


Gujarat